બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
VTV / found ineffective plasma therapy no longer recommended for covid 19 treatment
Dharmishtha
Last Updated: 07:06 AM, 18 May 2021
પ્લાઝમાં થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી
ગત એક વર્ષમાં કોરોનાની સારવાર દરમિયાન પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે દેશમાં મોટા એક્સપર્ટ કહે છે કે આ થેરાપી દરેક દર્દી માટે કારગત નથી. હવે કોઈ અધ્યયનો બાદ એક્સપર્ટ પેનલે કહ્યું છે કે પ્લાઝમાં થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી. આ બિમારી હળવા કરવા અથવા મોતની અસર ઓછી કરવા માટે અપ્રભાવી છે. આ કારણે આને કોરોનાની ગાઈડલાઈનમાંથી હટાવી દેવામાં આવી છે આ વાત સૂત્રોના હવાલાથી સામે આવી છે.
થેરાપીની સારવારના પ્રોટોકોલને હટાવી શકાય છે
આ નિર્ણય એમ્સ, આઈસીએમઆરના એક્સપર્ટની રેકમન્ડેશનના આધાર પર લેવામાં આવ્યો છે. આ પહેલા કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સની બેઠકમાં પ્લાઝ્મા થેરાપી કારગત ગણાવામાં નથી આવી. આ બાદ જ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે થેરાપીની સારવારના પ્રોટોકોલને હટાવી શકાય છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા પણ પ્લાઝમા થેરાપી પર પોતાની સલાહ આપી ચૂક્યા છે. અધ્યયન જણાવે છે કે કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરાપીની ભૂમિકા એક હદ સુધી જ છે.
નિર્ણય કેટલાક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોના પત્ર બાદ લેવામાં આવ્યો
હકિકતમાં થેરાપીને સારવારના પ્રોટોકોલથી હટાવી દેવાનો નિર્ણય કેટલાક ડોકટરો અને વૈજ્ઞાનિકોના પત્ર બાદ લેવામાં આવ્યો છે. આ લોકોએ પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારના વિજયરાધવનના લખેલા પત્રમાં થેરાપીના અવૈજ્ઞાનિક ઉપયોગને લઈને ચેતવ્યા હતા. પત્ર આઈસીએમઆર ચીફ બલરામ ભાર્ગવ અને રણદીપ ગુલેરિયાને મોકલવામાં આવ્યો હતો.
લેંસેન્ટ જર્નલમાં પબ્લિશ થઈ હતી એક સ્ટડી
આ પહેલા લેંસેન્ટ જર્નલની એક સ્ટડીમાં કહેવામાં આવી ચૂક્યુ છે કે કોરોનાના ગંભીર રોગિયોમાં પ્લાજ્મા થેરાપીનો ઉપયોગ કોઈ ખાસ અસર નથી બતાવી રહ્યો પોતાના પત્રમાં એક તર્ક આપવા માટે પ્લાઝ્મા થેરાપી પર દેશમાં હાજર ગાઈડલાઈને સાક્ષ્ય પર આધારીત નથી. વિશેષજ્ઞોએ 3 અધ્યયનોના હવાલો આપ્યો. ICMR-PLACID પરિક્ષણ, ઓક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા આયોજિત રિકવરી ટ્રાયલ અને આર્જેન્ટીનાની PlasmAr પરીક્ષણ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ