ચૈત્રી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસે બહુચરાજી ખાતે માતાજીને રૂપિયા 25 લાખના ખર્ચે તેયાર થયેલા સોના-ચાંદીના અને હીરાજડિત આંગી અર્પણ કરાઈ
બહુચર માતાજીને હીરા જડિત આંગી કરાઇ
શંખલપુર સ્થિત આધ્યસ્થાનકે કરાઇ આંગી
25 લાખના ખર્ચે તૈયાર આંગી અર્પણ કરાઇ
ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારે આંગી કરાઇ
બહુચર માતાજીને આજે તેમના પ્રાગટ્ય દિન નિમિત્તે બહુચરાજી તાલુકાના શંખલપુર સ્થિત આધ્યસ્થાનકે મોરબીના ઘૂંટુના માંઈભક્ત નરભેરામભાઈ સોરિયા અને તેમના પરિવાર દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ સોના-ચાંદી અને અમેરિકન ડાયમંડ જડિત આંગી અર્પણ કરવામાં આવી હતી
બગીરથમાં આંગીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ
મહત્વનું છે કે, માતાજીને ઈતિહાસમાં પ્રથમવાર આવી આંગે કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી બહુચરાજી ખાતે ઉમટી પડ્યા હતાં. આ પ્રસંગે બગીરથમાં આંગીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને નગર પરિભ્રમણ કરી નિજ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં બોલ મારી બહુચર જય જય બહુચર ના જયઘોષ વચ્ચે માતાજીને આંગી અર્પણ કરાઇ હતી.