બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / five people died and one was injured in j&K accident
Dhruv
Last Updated: 01:52 PM, 5 March 2022
આ ઘટના વિશે માહિતી આપતા સાંબા જિલ્લાના પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે, આજે વહેલી સવારે માનસર વિસ્તાર પાસે થયેલા ગંભીર અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થઇ છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એસએચઓએ જણાવ્યું કે, ઇનોવા કાર માનસર રૂટ પર થઇને શ્રીનગર જઇ રહી હતી.
J&K | A total of five people died and one was injured in an accident near the Mansar area of Samba district early in the morning, the station house officer (SHO) of Samba said
— ANI (@ANI) March 5, 2022
તેઓએ જણાવ્યું કે, જમોડ વિસ્તારમાં એક વળાંક પર ઈનોવા કારના ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવી દીધો અને કાર ઊંડી ખીણમાં ખાબકી ગઈ. આ કારમાં 6 લોકો સવાર હતાં. આ સાથે રસ્તા પરથી પસાર થતા લોકો અને સ્થાનિક લોકોએ કોઈ પણ રીતે ખાઇમાં પડેલી કારમાંથી તમામ લોકોને બહાર કાઢી મુખ્ય માર્ગ પર લાવી દીધા હતાં અને તુરંત પોલીસને પણ જાણ કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે અને ઘાયલને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
પોલીસ તુરંત પહોંચી હતી ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે રાહત કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ તમામને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ડોક્ટરોએ 6માંથી 5ને મૃત જાહેર કરી દીધા હતાં. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, માનસરમાં એક ઈનોવા કારને ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં અનંતનાગના ગ્રામ બ્રહ રાનીપોરાના રહેવાસી પરિવારના ચાર સભ્યોનું ડ્રાઈવર સહિત ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ
મૃતકોની ઓળખ ગુલઝાર અહમદ ભટ (71), તેઓની પત્ની જૈના બેગમ (65), તેમના પુત્ર ઇકબાલ અહમદ ભટ (25) અને પુત્રી મસરત જાન (21) તરીકે થઇ છે. વાહનચાલકની ઓળખ અનંતનાગના રહેવાસી સાકિબ તરીકે થઇ છે. જો કે, એક પોલીસ અધિકારી કહી રહ્યાં છે કે, તમામની ઓળખ કરી લેવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, હાલમાં આ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ પણ શરૂ કરી દેવાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો