બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અજબ ગજબ / femous temple of india where the first ray falls on the sun statue on makar sankranti khargone
Last Updated: 11:35 AM, 14 January 2021
ADVERTISEMENT
મકર સંક્રાંતિ પર સૂર્યની પૂજા કરવામાં આવે છે
પ્રસિદ્ધ નવગ્રહ મંદિરના પૂજારી લોકેશ જાગીરદારનું કહેવું છે કે મકરસંક્રાંતિ, સૂર્યની આગેવાનીનો પર્વ છે. નવગ્રહ મંદિર સૂર્ય પ્રધાન છે અહીં ગર્ભગ્રહમાં સૂર્યની મૂર્તિ વચ્ચે વિરાજિત છે. મૂર્તિની આસપાસ અન્ય ગ્રહ છે. માન્યતા છે કે મકર સંક્રાંતિ પર સૂર્યની પૂજા કરવામાં આવે છે. તો નવગ્રહની કૃપા થાય છે. વર્ષભર માટે આપણે ગ્રહશાંતિનું ફળ મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મંદિરની રચના પ્રાચીન જ્યોતિષના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવી છે
પ્રાચીન જ્યોતિષના સિદ્ધાંતો અનુસાર મંદિરની રચના કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરતા સમયે 7 સીડિયો છે. જે સાત વારના પ્રતિક છે. આ બાદ બ્રહ્મા, વિષ્ણુ સ્વરુપના રુપમાં સરસ્વતી, શ્રીરામ અને પંચમુખી મહાદેવના દર્શન થાય છે. એ બાદ ગર્ભગૃહમાં જવા માટે 12 સીડીઓ ઉતરવાની હોય છે. જે 12 મહિનાનું પ્રતિક છે.
ADVERTISEMENT
દેશભરના શ્રદ્ધાળુ અહીં આ દ્રશ્ય જોવા આવે છે
મકરસંક્રાંતિ પર સૂર્ય મંદિરમાં સૂર્યની પહેલી કિરણ મંદિરના ગુંબજથી થતા ભગવાન સૂર્યની મૂર્તિ પર પડે છે. સંક્રાંતિ પર પ્રાચીન નવગ્રહ મંદિરમાં સવારે 3 વાગે લોકોની ભીડ લાગે છે. દેશભરના શ્રદ્ધાળુ અહીં આ દ્રશ્ય જોવા આવે છે.
ADVERTISEMENT

આની વચ્ચે જીવન ચાલે છે
ADVERTISEMENT
ગર્ભગૃહમાં નવગ્રહના દર્શન થાય છે. આ બાદ બીજા માર્ગ પર ફરી 12 સીડીઓ ઉપર ચઢીએ છીએ તો 12 રાશિના પ્રતિક છે. આ પ્રકારથી સાત વાર, 12 મહિના, 12 રાશિ અને નવગ્રહ આની વચ્ચે જીવન ચાલે છે અને તેના આધાર પર મંદિરની રચના કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.