બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 02:58 PM, 7 August 2023
દેશભરમાં કન્ઝેક્ટિવાઈટિસ એટલે કે આઈ ફ્લૂના કેસ ખૂબ જ ઝડપથી વધતા જઈ રહ્યા છે. આ બીમારીમાં આંખોનું લાલ થવું, દુઃખાવો અનુભવવો, આંખોમાંથી ચીકણો પદાર્થ નિકળવો વેગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
વરસાદમાં કન્ઝેક્ટિવાઈટિસના ખતરો વધારે રહે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, આઈ ફ્લૂ વાયરસ, બેક્ટેરિયલ કે એલર્જિક સંક્રમણના કારણે થાય છે. એવામાં આંખોની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. આઈ ફ્લૂથી બચવા માટે તમે પોતાની ડાયેટમાં અમુક ફૂડ્સને શામેલ કરી શકો છો. આ તમારી આંખોને સ્વસ્થ્ય રાખવામાં ખૂબ મદદ કરે છે. તો આવો જાણીએ આ ફૂડ્સ વિશે.
લીલા શાકભાજી
લીલા શાકભાજી આંખોની રોશનીને વધારવા અને સંક્રમણથી બચાવવામાં ખૂબ જ મદદ કરે છે. તેના માટે તમે પોતાની ડાયેટમાં પાલક, કેળા, અજમોદ લ્યૂટિન વગેરે શામેલ કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ જરૂરી પ્રમાણમાં મળી આવે છે. જે આંખોને ખરાબ થવાથી બચાવે છે.
વિટામિન-A યુક્ત ફળ અને શાકભાજી
આંખોને સ્વસ્થ્ય રાખવા માટે વિટામિન-એ ખૂબ જ જરૂરી છે. શરીરમાં આ વિટામિનની પૂર્તિ માટે તમે પોતાની ડાયેટમાં ગાજર, શક્કરીયા, પપૈયું, કદ્દુ વગેરે શામેલ કરી શકો છો. આ બીટા કેરેટીનનો પણ સારો સ્ત્રોત છે. જે તમારી આંખોને સ્વસ્થ્ય રાખવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે.
વિટામિન-સી છે આંખો માટે જરૂરી
વિટામિન-સી આંખોને સંક્રમણથી બચાવે છે. આ ઈમ્યુનને પણ મજબૂત બનાવે છે. જેનાથી તમે ઘણા પ્રકારની બિમારીઓ અને ઈન્ફેક્સનથી બચી શકો છો.
ઈંડા ખાઓ
ઈંડામાં પ્રોટીન જરૂરી પ્રમાણમાં હોય છે. તેના ઉપરાંત આ ઝિંક અને એન્ટીએક્સીડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો તમે પોતાની ડેલી ડાયેટમાં ઈંડા શામેલ કરો છો તો આંખ સ્વસ્થ્ય રહે છે અને સંક્રમણને મ્હાત આપે છે.
નટ્સ
આ નાના નાના નટ્સ પોષક તત્વોનો પાવરહાઉસ છે. તેમાં વિટામિન-ઈ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી આંખોને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તેના માટે તમે બદામ, અખરોટ વગેરે જરૂર ખાઓ.
ડાયેટમાં શામેલ કરો ફિશ
ફિશ ઓમેગા 3 ફેટી એસિડનો મોટો સોર્સ છે. આ સોજાને ઓછો કરવા અને આંખોને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો