બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / EWS quota reservation is for social upliftment not poverty alleviation says SC
Dhruv
Last Updated: 12:54 PM, 23 September 2022
સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ કહ્યું કે, 'ઉચ્ચ જાતિના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ને વિવિધ હકારાત્મક ક્રિયાઓ દ્વારા પ્રોત્સાહન આપી શકાય છે. જેમ કે તેઓને 10 ટકા ક્વોટાને બદલે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિષ્યવૃત્તિ આપવી.' કોર્ટે કહ્યું કે 'અનામત શબ્દના સામાજિક અને નાણાકીય સશક્તિકરણ જેવા અલગ-અલગ અર્થો છે અને તે એવા વર્ગોનો ઉલ્લેખ કરે છે કે જેઓ સદીઓથી અત્યાચાર ગુજારતા આવ્યા છે.'
ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને મફત શિક્ષણ આપી શકાય: SC
મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળ પાંચ જજોની બંધારણીય બેન્ચે જણાવ્યું કે સદીઓથી જાતિ અને વ્યવસાયના કારણે સામાજિક પછાત વર્ગના લોકોને અનામત આપવામાં આવી છે. ત્યારે ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને મફત શિક્ષણ જેવી સુવિધાઓ આપવામાં આવી શકે છે. જ્યારે અન્ય આરક્ષણ વિશે વાત કરવામાં આવે ત્યારે તે વંશ સાથે સંબંધિત છે. આ સાથે પછાતપણું એ કોઇ કામચલાઉ બાબત નથી, તે સદીઓ અને પેઢીઓથી ચાલતી આવે છે. પરંતુ આર્થિક પછાતપણું કામચલાઉ હોઈ શકે છે.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ 103માં બંધારણીય સુધારાનો બચાવ કરતા કહ્યું કે 'સામાન્ય વર્ગના EWS માટે 10 ટકા ક્વોટા SC, ST અને OBC માટે ઉપલબ્ધ 50 ટકા અનામતને ખલેલ પહોંચાડ્યા વિના પ્રદાન કરવામાં આવે છે. કોઇ પણ બંધારણીય સુધારાને તે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે તે સ્થાપિત કર્યા વિના તેને નકારી શકાય નહીં. બીજી બાજુ અન્ય પક્ષ એ વાતનો ઇનકાર નથી કરી રહ્યો કે જે બિનઅનામત વર્ગમાં સંઘર્ષ કરી રહ્યાં છે અથવા તો ગરીબીથી પીડિત છે તેઓને કોઇ સહારાની જરૂરિયાત છે. એમાં કોઈ શંકા નથી.
બેન્ચે કહ્યું કે, "જે રજૂ કરવામાં આવી રહ્યું છે તે એ બાબત છે કે તમે થ્રેશોલ્ડ સ્તર પર પૂરતી તકો આપીને તે વર્ગને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરી શકો છો, જેમ કે 10+2 સ્તર પર તેઓને શિષ્યવૃત્તિ આપો." તેઓને ફ્રીશિપ આપો કે જેથી તેઓને શીખવાનો અવસર પ્રાપ્ત થાય, તેઓ ખુદને શિક્ષિત કરે અથવા તો પોતાને ખુદથી ઉપર ઉઠાવે.' કોર્ટે કહ્યું કે 'એક પરંપરાગત અનુમાનના રૂપમાં આરક્ષણના અલગ-અલગ અર્થ છે અને તે માત્ર નાણાકીય સશક્તિકરણ વિશે જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય સશક્તિકરણ વિશે પણ છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો