બ્રેકિંગ ન્યુઝ
દુનિયાના 11 દેશની 55થી વધુ યૂનિવર્સિટી તરફથી કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, અખરોટ ખાવાથી શરીર માટે જરૂરી ફાઇબર, વિટામિન, મેગ્રનેશિયમ, ફોસ્ફરસ અને ઓમેગા-3 અલ્ફા લેનોલેનિક એસિડ સહિત અનેક ન્યૂટ્રિઅન્ટ્સ પૂરતી માત્રા મળી રહે છે.
ADVERTISEMENT

દરરોજ 4 અખટોટ ખાવાથી કેન્સર, સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બિમારીઓ દૂર રાખવાની સાથે સાથે વજનને પણ નિયત્રિંત કરવા માટે મદદ મળે છે. અખરોટ ખાવાથી પ્રજનન સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જીવનશૈલી સાથે જોડાયેલી બિમારીઓ દૂર રહે છે. રિસર્ચ અનુસાર, અખરોટ પોષક તત્વોના ઉર્જાનું કેન્દ્ર છે અને સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે.
ADVERTISEMENT

વનસ્પિતમાંથી 93 પ્રકારના મેવા મળે છે. તેમાથી ફક્ત અખરોટમાંથી જ આપણને વનસ્પતિમાંથી મળતુ ALA પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીર માટે જરૂર ફેટી એસિડ છે. ભારતમાં મોટાભાગની વસ્તી શાહકારી છે અને તેમનામાં ઓમેગા 3 અને પ્રોટીનની ઉણપ જોવા મળે છે. રિસર્ચર્સના અનુસાર, દરેક પ્રકારના સુકા મેવાને ભોજનમાં શામેલ કરવા જોઇએ. તેનાથી મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડની ઉણપ દૂર થાય છે. અખરોટમાં આવેલું ઓમેગા 3 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ્ય રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.