બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં શરદી-ઉધરસથી બચવા પીઓ આ સ્પેશિયલ ચા, મળશે અનેક સમસ્યાથી રાહત

હેલ્થ ટિપ્સ / શિયાળામાં શરદી-ઉધરસથી બચવા પીઓ આ સ્પેશિયલ ચા, મળશે અનેક સમસ્યાથી રાહત

Last Updated: 12:34 PM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી સિઝનમાં શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચવા માટે નિયમિતપણે કેટલીક ખાસ હર્બલ ટીનું સેવન કરવાથી બીમાર પડતાં બચી શકો છો.

શિયાળામાં શરદી-ઉધરસ એક સામાન્ય સમસ્યા છે જેના કારણે માથાંમાં દુ:ખાવો થાય છે અને થાક લાગે છે. આ સમયે લોકો ફ્રેશ થવા માટે ચા પીવાનું પસંદ કરતાં હોય છે. આમ પણ એવું કહેવાય છે કે આપણા દેશમાં ચા માત્ર પીણું નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.

winter-health.gif

હવે આ બદલાતી સિઝનમાં શરદી, વાયરલ ઇન્ફેક્શન, સિઝનલ એલર્જી વગેરે જેવી સમસ્યાઓ ખૂબ જોવા મળે છે. જો કે તમે કેટલીક ખાસ હર્બલ ટી નિયમિતપણે પીશો તો આવી સમસ્યા તમારા શરીરથી દૂર રહે છે.

પહેલી છે આદુની ચા

આદુમાં બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી અને ઉધરસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. આદુની ચા બનાવવા માટે, એક કપ પાણીમાં આદુનો એક ટુકડો ઉમેરો અને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેમાં ગોળ અથવા મધ અને ચાની પત્તી નાંખો અને દૂધ ઉમેરો, થોડીવાર માટે તેને ઉકાળો અને ગાળીને પી લો.

chaa-1.jpg

બીજી છે ગ્રીન ટી

ગ્રીન ટી પીવાથી અનેક ફાયદા મળે છે. આ ચાની હાઈ એન્ટીઓક્સીડેંટ સામગ્રી આપણી રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. બદલાતી ઋતુમાં ઈમ્યૂનિટી વધારીને અનેક પ્રકારનાં સંક્રમણથી પોતાના શરીરને બચાવી શકાય છે. ગ્રીન ટી આપણા શરીરથી ટોક્સિક એલીમેન્ટ્સને બહાર કાઢે છે. એટલું જ નહીં તે વેઈટ લૉસ માટે પણ મદદરૂપ છે.

ત્રીજી છે તુલસી ચા

તુલસીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. તુલસીનાં પાનવાળી ચા પીવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશનની સાથે-સાથે માથાનો દુ:ખાવો, ઉધરસ, શરદી વગેરેથી રાહત મળી શકે છે. તુલસીની ચા પીવાથી ઈમ્યૂનિટી, પાચન અને સ્કિનને લાભ મળે છે.

PROMOTIONAL 12

ચોથી છે ફુદીનાની ચા

મોસમી એલર્જી સામે લડવામાં અને ચેપથી રાહત અપાવવામાં આ ચા સાથે કોઈ મેળ નથી. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરદી, ઉધરસ અને ગળામાં ખરાશ માટે આ રામબાણ ઈલાજ છે. આને પીવાથી બંધ નાક ખોલવામાં પણ મદદ મળે છે.

વધુ વાંચો: ડાયાબિટીસ પેશન્ટ શુગર કંટ્રોલ કરવા આજથી જ નાસ્તામાં આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો, મળશે સમસ્યાથી છૂટકારો

છેલ્લી છે લવિંગ અને મરી ચા

આ ચા છાતીમાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં રામબાણથી ઓછી નથી. તે ઉધરસ મટાડવામાં પણ મદદ કરે છે અને ગંભીર ઉધરસની સ્થિતિમાં તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

masala tea Health Tips Cough and Fever
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ