કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ધનતેરસ મનાવવામાં આવે છે. ધનતેરસ દિવાળીથી પહેલા આવે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બર (શુક્રવારે) મનાવવામાં આવશે. ધનતેરસ પર ખરીદીનું વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે લોકો સોના- ચાંદીની ખરીદી કરે છે. જેથી ઘરમાં સુખ અને સમૃદ્દિ બનેલી રહે. એવી માન્યતા છે કે ધનતેરસના શુભ દિવસ પર સોના, ચાંદી અને વાસણોની ખરીદી પર આખુ વર્ષ સંપન્નતા બની રહે છે. ધનતેરસમાં શું ખરીદવું જોઈએ એ બધાને ખબર છે પણ શું તમને એ ખબર છે કે ધનતેરસમાં શું ન ખરીદવું જોઈએ. અહીં વાંચો કે શું ન ખરીદવું જોઈએ આ દિવસે.
ઘનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી બચવું
બીજા ધારદાર હથિયારો ખરીદવાથી બચવું જોઈયે
સ્ટીલ સિવાય કોપર અને બ્રોન્ઝના વાસણ ખરીદી શકાય
લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કહેવાય છે કે લોખંડની વસ્તુ ઘરમાં લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા પડે છે. રાહુની નજર પડતાની સાથે સમસ્યાઓ વધવા લાગી છે. માન્યતા એવી છે કે કાંચનો સામાન સંબંધ રાહુ ગ્રહથી હોય છે પરંતુ ધનતેરસના દિવસે કાંચની વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી રહી છે. સ્ટીલ પણ લોખંડનું બીજું રુપ છે એટલા માટે કહેવાય છે કે વાસણ ન ખરીદવા જોઈએ. સ્ટીલ સિવાય કોપર અને બ્રોન્ઝના વાસણ ખરીદી શકાય છે.
ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓને ઘરમાં લાવવાથી બચવું જોઈએ. ઘનતેરસ એક બહું શુભ દિવસ છે જ્યારે કાળો રંગ હંમેશા દુર્ભાગ્યનું પ્રતીક મનાઈ રહ્યું છે. એટલા માટે ઘનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ. ધનતેરસના દિવસે તમે ખરીદી કરવા માટે નિકળો છો તો ચાકુ, કાતર તથા બીજા ધારદાર હથિયારો ખરીદવાથી બચવું જોઈએ.
(નોંધ- આ લેખ મળતી જાણકારીના આધારે લખાયો છે. આના પર અમલ કરતા પહેલા તમારા વિશેષજ્ઞોની સલાહ લેવી)