બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 21 September 2020
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલુ આ મંદિર નવેમ્બર 1801માં તૈયાર કરવામાં આવ્યું હતુ. આ મંદિરમાં ન ફક્ત હિંદુઓ પણ અન્ય ધર્મના લોકો પણ દર્શન માટે આવે છે.

ADVERTISEMENT
મંદિરની ખાસિયત
આની કેટલીક ખુબિયોને કારણે તેને સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે. હા ગણેશજીનું સૌથી લોકપ્રિય મંદિર છે. અહીં ગણેશની સૂંઢ જમણી બાજુ વળેલી છે જે સિદ્ધપીઠ સાથે જોડાયેલી મનાય છે અને વિનાયક ગણેશનું એક અન્ય નામ છે. જેથી આવી પ્રતિમા વાળા મંદિરોને સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે.
ADVERTISEMENT
એવી માન્યતા છે કે આવા મંદિરોમાં માંગવામાં આવેલી ઈચ્છા જરુરથી પુરી થાય છે. આવા ગણેશ ઝડપથી પ્રસન્ન થયા છે અને જલ્દી ક્રોધિત થનારા પણ છે. સિદ્ધિ વિનાયક એક ચતુભુર્જી વિગ્રહ હોય છે. જેમાં પ્રતિમામાં પ્રભુના ઉપરવાળા જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં અંકુશ હોય છે અને નીચેના જમણા હાથમાં મોતિઓની માળા અને ડાબા હાથમાં મોદકથી ભરેલી કટોરી હોય છે. તેમની બન્ને તરફ તેમની પત્નીઓ સ્થાપિત છે. જેમને ધન, એશ્વર્ય, સફળતા અને તમામ ઈચ્છાઓને પુરી કરવાનું પ્રતિક મનાય છે. પવિત્ર મૂર્તિમાં તેમના મસ્તક પર શિવની જેમ ત્રીજુ નેત્ર અને ગર્દન પર એક સાંપ પણ લપેટાયેલો છે.

ADVERTISEMENT
મનોકામના પૂરી થાય છે
બપ્પાના દરબારમાં આમ તો બધાની મનોકામના સિદ્ધ થાય છે પરંતુ ખાસ કરીને માંગવામાં આવેલી ઈચ્છા જરુર પુરી થાય છે. કહેવાય છે કે મંદિરમાં ભગવાનની સામે બેસીને મનોકામના લખવાથી તે જલ્દી પુરી થાય છે. આ ઉપરાંત એ પણ માન્યતા છે કે પ્રભુ એક દંતના કાનમાં ઈચ્છા કહેવામાં આવે તો પણ તે જલ્દીથી પુરી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.