બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
vtvAdmin
Last Updated: 09:22 PM, 27 July 2019
લાખો વાહનો પુલ પરથી થાય છે પસાર
અમરેલી જિલ્લાના વિકાસનું હબ રાજુલા છે અને તેની આસપાસ અનેક મહાકાય ઉદ્યોગો આવેલા છે. જેથી અહીં વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારે લાખો વાહનો અહીં રાજુલાના ધારતવડી નદીના પુલ પર થઇ પસાર થાય છે જે પુલ અતિ જર્જરિત હાલતમાં છે. પુલ પર ઉભા રહેતા જ કંપારી છૂટી જાય છે આ પુલ અંબાજી પીપાવાવ સ્ટેટ હાઇવે પર છે. અમદાવાદ, મુંબઈ, અમરેલી તરફનો સંપૂર્ણ ટ્રાફિક અહીંથી પસાર થાય છે. ત્યારે આ પુલ સાવ જર્જરિત અવસ્થામાં હોય લોકો અહીંથી પસાર થવામાં જોખમ અનુભવી રહ્યાં છે.
પુલ પર નીકળવું અતિ જોખમી
રાજુલા-સાવરકુંડલાને જોડતા અંબાજી સ્ટેટ હાઇવે પર આવેલ આ પુલ હાલ અતિ જર્જરિત અવસ્થામાં ઉભો છે. ચોંતરફથી તેની સિલિંગ અને તેની પાળ સેફ્ટી દીવાલ ધરાશાયી થઈ ગયેલ છે. જેથી પુલ પર નીકળવું અતિ જોખમી બની રહ્યું છે. ખાસ કરી અહીંથી રોજ લાખો વાહનો પસાર થયા છે. પીપાવાવ પોર્ટ સહિતના ઉદ્યોગને કારણે અહીં ખૂબ ટ્રાફિક હોય છે.
વળી આસપાસ અનેક સ્કૂલ બસો અહીંથી પસાર થાય છે. જેથી રાહદારીઓના જીવ હાલ જોખમ છે અને લોકો ઇચ્છી રહ્યા છે કે પ્રોટેક્શન વોલ અહીં મજબૂત બને અને નવોનપુલ થાય અથવા આ પુલનું સમાર કામ થાય.
પુલ સારી કંડીશનમાંઃ ઈજનેર
ત્યારે આ અંગે અમરેલીના મુખ્ય માર્ગ અધિકારી આરએનબીના ઈજનેરને પૂછતા તેમણે નિયમ મુજબ ગાણું ગાયું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પુલ સારી કંડીશનમાં છે અને પ્રોટેક્શન વોલ તૂટી જવા પામી છે જેથી હાલ વધારાના પુલ સરકાર દ્વારા મંજૂર થયેલ છે. ત્યારે હાલ જોવાનું રહ્યું કે હવે તંત્ર દ્વારા નવો પુલ બનશે કે આ જર્જરીત પુલ નું સમારકામ થશે? પરંતુ હાલ આ જર્જરીત પુલ પરથી લાખો વાહનો પસાર થઈ રહ્યા છે અનેક સ્કૂલ બસો પસાર થઈ રહી છે જેથી અનેક રાહદારીઓના જીવ જરૂરથી હાલ જોખમમાં છે.
ત્યારે અનેક સવાલો થાય છે કે, આ પૂલ કેમ નથી થતો રિપેર ? શું કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે તંત્ર ? કેમ તંત્રના પેટનું પાણી નથી હલતુ ? કેમ વારંવાર માત્ર સમારકામ કરીને સંતોષ મેળવે છે ? કેમ સમારકામ લાંબો સમય સુધી ટકતું નથી ? કેમ મજબૂત કામ નથી થતું ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT