બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / covid positivity rate doubled in just one week in india raises concerns
Dharmishtha
Last Updated: 07:25 AM, 27 July 2021
સંક્રમણનો દર એક અઠવાડિયાની અંદર બે ગણો થઈ ગયો
દેશમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ હવે મોટા પ્રમાણમાં બહું ગંભીર નથી. જો હાલના બે ફેક્ટ ચિંતા વધારી રહ્યા છે. પહેલા તો આ સંક્રમણથી થનારા મોતની ગણતરી હજું પણ 500ની આસપાસ બનેલી છે અને બીજી એ કે સંક્રમણનો દર એક અઠવાડિયાની અંદર બે ગણો થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે તપાસ પોઝિટિવિટી દર 3.4 ટકા નોંધાયો છે. જ્યારે એક અઠવાડિયા પહેલા દર 1.68 ટકા હતો. આ સંખ્યા હજું પણ ચિંતાજનક નથી પણ ઘટવાની જગ્યાએ તેનું વધવું ચિંતાજનક છે. જો આ ટ્રેન્ડ આગળ વધ્યો તો ત્રીજી લહેરનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે.
સંક્રમણમાં આવી તેજી
જ્યારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે દેશમાં સંક્રમણ દર 18થી 20 ટકા સુધી પહોંચી ગયો હતો. બીજી લહેર મંદ પડવા પર સંક્રમણ દર ઘટતા ઘટતા 20 જુલાઈએ માત્ર દોઢ ટકા રહી ગયો હતો. પણ ગત 6 દિવસો દરમિયાન સંક્રમણ દર ધીરે ધરે વધરો રહ્યો અને આ 26 જુલાઈએ જારી આંકડા મુજબ આ 1.68 ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 8 રાજ્યો હજું પણ એવા છે જ્યાં સંક્રમણ દર 5 ટકાથી 15 ટકાની વચ્ચે બનેલો છે.
તારીખ- પોઝિટિવ રેટ
20 જુલાઈ- 1.68%
21 જુલાઈ- 2.27%
22 જુલાઈ- 2.4%
23 જુલાઈ-2.12%
24 જુલાઈ- 2.4%
2જુ લાઈ- 2.31%
26 જુલાઈ- 3.4%
(સ્ત્રોત- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય)
અચાનક વધી શકે છે નવા કેસ
સર ગંગારામ હોસ્પિટલના મેડિકલ વિભાગની ડો. પૂજા ખોસલાનું કહેવું છે કે બીજી લહેર દરમિયાન જે સ્પીડથી સંક્રમણ વધી રહ્યું હતુ. તે સ્થિતિને શીખવ્યું છે કે ક્યારે પણ અચાનક નવા મામલામાં વધારો આવી શકે છે. તેમનું કહેવું છે કે જ્યારે લોકોને લાગી રહ્યું છે કે સંક્રમણ કાબૂમાં છે તે સમયે તેઓ બેદરકારી ન વર્તે અને બચાવના તમામ નિયમોનું પાલન કરે. જો કે સીરો સર્વે મોટી વસ્તીના શરીરમાં એન્ટીબોર્ડી હોવાનું જણાવતા અનેક વિશેષજ્ઞોને એ આશા છે કે ત્રીજી લહેર વધારે ખતરનાક નહીં હોય.
મોતની સંખ્યા હજું પણ ડરાવની
દેશમાં 24 જૂન બાદથી દર રોજ 50 હજારથી ઓછા નવા મામલા નોધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આંકડો ઓછો નથી થઈ રહ્યો. દેશમાં ગત રવિવારે 38 હજાર નવા દર્દી મળ્યા જ્યારે 414 મોત થયા છે. બીજી તરફ ગત એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન જ્યારે બીજી લહેરે સ્પીડ પકડી હતી ત્યારે દર રોજ 80 લાખથી 1.15 લાખ સુધી નવા દર્દી મળતા હતા. જ્યારે રોજના મોતની સંખ્યા 450થી લઈ 636 સુધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT