બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
VTV / coronavirus second wave higher death rate in india says icmr study
Dharmishtha
Last Updated: 07:06 AM, 5 July 2021
કોણે તૈયાર કર્યો છે આ રિપોર્ટ
દેશમાં કોરોનાના મહામારીની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ પુરુષોની સંખ્યા પહેલી લહેરની સરખામણીએ થોડી ઓછી રહી હતી. આ અધ્યયન રિપોર્ટ ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થઈ છે. જેમાં ICMR, AIIMS અને NCDCના વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
શ્વાસની સમસ્યાને લઈને થયા ખુલાસા
સ્ટડીમાં એ તથ્ય સામે આવ્યું છે કે ભારતમાં કોવિડની બીજી લહેર પહેલાની સરખામણીએ થોડી અલગ હતી. બીજી લહેરમાં 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોને છોડીને તમામ ઉંમરના લોકોમાં ઉચ્ચ મૃત્યુદર નોંધાયો છે અને સૌથી વધારે લોકોમાં શ્વાસ લેવાની સમસ્યા અનુભવાઈ હતી. તથા તેમને ઓક્સિજન સિલેન્ડરના દમ પર રાખવામાં આવ્યા હતા.
આ આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું
ભારતમાં ગત વર્ષ સપ્ટેમ્બરમાં ઘટાડા બાદ માર્ચથી કોવિડ 19 મામલામાં બીજી જબરજસ્ત વૃદ્ધિ જોવા મળી. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે આ બે લહેરો દરમિયાન કરવામાં આવેલા કોરોના રોગીઓની જનસંખ્યાકીય અને નૈદાનિક વિશેષતાઓમાં અંતરનું વર્ણન કરવા માટે કોરોના માટે રાષ્ટ્રિય ક્લિનિકલ રજિસ્ટ્રી (NCDC) અંતર્ગત એકત્રિત કરવામાં આવેલા આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ લોકોને અધ્યયનમાં સામેલ કરવામાં આવ્યા હતા
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ અને કોરોનાના કન્ફોર્મ કેસની જનસંખ્યાકીય, નૈદાનિક ઉપચાર અને પરિણામના આંકડાન સમગ્ર ભારતની 41 હોસ્પિટલોના ઈલેક્ટ્રોનિક ડેટા પોર્ટલમાં નાંખવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 સપ્ટેમ્બરથી 2020 અને 31 જાન્યુઆરી 2021ની વચ્ચે અને 1 ફેબ્રુઆરીથી 11 મે 2021ની વચ્ચે રજીસ્ટર દર્દી આ 2 લહેરોના પ્રતિભાગોમાં સામેલ હતા.
પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં મરનારમાં પુરુષોની સંખ્યા ઓછી
જેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 11 મે સુધી 18, 961 વ્યક્તિઓના રજિસ્ટ્રેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12, 059 અને 6, 903 ક્રમશઃ બીજી લહેરના રોગીઓને દર્શાવે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મહામારીની બન્ને લહેરોમાં લગભગ 70 ટકા દાખલ દર્દી 40 વર્ષથી ઉપરના હતા અને પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં પુરુષોની સંખ્યા ઓછી હતી.
આ ઉંમરના લોકોનો મૃત્યુદર વધુ
અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહામારીની બન્ને લહેરમાં સૌથી સામાન્ય લક્ષણ રોગી તાવથી પીડિત હતા. આમાં કહેવામાં આવ્યું છે કે‘બીજી લહેરમાં શ્વાસની સમસ્યા ઘણી વધારે હતી. પૂરક ઓક્સીજન અને યાંત્રિક વેન્ટિલેશનની જરુરિયાત હતી.’ પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં પુરુષોની સંખ્યા ઓછી હતી.’ જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘20 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બાદ કરતા તમામ ઉંમરના લોકોના મૃત્યુદરમાં વધારો નોંધાયો છે. ’
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ