ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી રાશન આપવાની એક અનોખી રીત અપનાવવામાં આવી છે. આ માટે CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદ યોજી હતી અને તારીખો તેમજ રાશનકાર્ડ આધારિત રાશન વહેંચણીની સિસ્ટમ સમજાવી હતી.
ગુજરાત સરકાની જાહેરાત
રાશનકાર્ડ નંબર પરથી મળશે અનાજ
તમામ કાર્ડ ધારકોને મળશે અનાજ
રાજ્યના 60 લાખ APL-1 કાર્ડ ધારકોને પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 અને 2 હોય તેમને 13 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 3 અને 4 હોય તેમને 14 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 5 અને 6 હોય તેમને 15 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 7 અને 8 હોય તેમને 16 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 9 અને 0 હોય તેમને 17 એપ્રિલે અનાજ મળશે
જે લોકો અનાજ નક્કી કરેલી તારીખે અનાજ લેવા ન જઈ શકે તો તેમણે 18 તારીખે અનાજ મળશે. સુખી સંપન્ન લોકો સ્વેચ્છાએ પોતાનો હક જતો કરે તો જરૂરિયાત મંદ સુધી જથ્થો પહોંચાડી શકાય.
1077 છે હેલ્પ લાઈન નંબર
કર્મચારી ને છૂટા નહીં કરી શકાય. આ માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર. વ્યવસાઈક એકમો કર્મચારીઓને છુટા નહીં કરી શકે.