બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 01:30 PM, 26 February 2023
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ત્રીજા અને છેલ્લા દિવસે મેગા રેલીની તૈયારી ચાલી રહી છે. જોકે આ અધિવેશન સત્રમાં ઘણા સુધારા મંજૂર કરવામાં આવ્યા હતા અને ઘણા નિયમો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. આ તરફ હવે સૌથી મોટી વાત એ સામે આવી છે કે, કોંગ્રેસ પાર્ટી ઉદયપુર ચિંતન શિબિરમાં બહાર આવેલા ઘણા મોટા ઠરાવોથી પોતાને દૂર કરતી જોવા મળી હતી. ભારત જોડો યાત્રામાં જે પ્રસ્તાવ પર રાહુલ ગાંધી ભાર મૂકતા જોવા મળ્યા હતા તે પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી નથી.
કોંગ્રેસે આ સંમેલનમાં અનામતને લઈને પોતાના બંધારણમાં પણ સુધારો કર્યો છે. પાર્ટીએ વર્કિંગ કમિટીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓને 50 ટકા અનામતની ખાતરી આપતો સુધારો પસાર કર્યો છે. જ્યારે બહુપ્રતિક્ષિત સુધારાઓ બાકી રહ્યા છે. ગત વર્ષે આયોજિત ઉદયપુર નવસંકલ્પ શિબિરમાં બંધારણ સુધારા સમિતિએ જે મોટી ટિકિટ ફેરફારની વાત કરી હતી તેનાથી પાર્ટીએ પોતાને દૂર કરી દીધા છે. એટલું જ નહીં, કોંગ્રેસનું સૌથી મોટું પગલું 'વન મેન-વન પોસ્ટ (પદ)'નો પ્રસ્તાવ પણ હવે ઉભરાઇ ચડાવી દેવાયો હોય તેવા ઘાટ ઘડાયો છે. આ પ્રસ્તાવને પાર્ટીમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યો હતો અને તેમણે પણ આ પ્રસ્તાવ પર ઘણો જોર આપ્યો હતો.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ ?
રાહુલે કેરળમાં ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે, પાર્ટી 'એક વ્યક્તિ-એક પદ (પોસ્ટ)ને અનુસરશે. અમે ઉદયપુરમાં જે નક્કી કર્યું હતું (એક વ્યક્તિ, એક પદ) તે કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે અને મને આશા છે કે, પ્રતિબદ્ધતા (પાર્ટી પ્રમુખ પદ પર) રહેશે. હવે હકીકત એ છે કે સુધારા સમિતિએ કોંગ્રેસની આ મહત્વની 'કમિટમેન્ટ'થી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.
રસપ્રદ વાત એ છે કે, ઉદયપુર ચિંતન શિબિરનો બીજો સુધારો જે દૂર કરવામાં આવ્યો છે તે 'એક પરિવાર-એક ટિકિટ' સૂત્ર છે. તે મુખ્યત્વે એટલા માટે હેડલાઇન્સ બની રહી છે કારણ કે, આ ફોર્મ્યુલા ગાંધી પરિવાર સહિત દરેક પાર્ટીના નેતાઓને લાગુ પડશે. જોકે આ ફોર્મ્યુલા હેઠળ પરિવારના અન્ય સભ્યને ત્યારે જ ટિકિટ મળશે જો તેણે ઓછામાં ઓછા 5 વર્ષ પાર્ટી માટે કામ કર્યું હોય.
LIVE: Day 3 of the Congress' 85th Plenary session in Nava Raipur, Chhattisgarh. #CongressSankalp2024 https://t.co/R1ZvB4YVZZ
— Congress (@INCIndia) February 26, 2023
રાહુલે ઉદયપુર ચિંતન શિબિરમાં તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે, કેસી વેણુગોપાલ આ પ્રસ્તાવ સાથે સહમત ન હતા, પરંતુ તેમ છતાં તેઓ ઈચ્છે છે કે, પ્રસ્તાવને ચર્ચા માટે લાવવામાં આવે. બંધારણ સુધારણા સમિતિના મીડિયા સંયોજક રણદીપ સુરજેવાલાએ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, આ નીતિ વિષયક મુદ્દાઓ છે અને ઘણાને સુધારાની જરૂર નથી અને પાર્ટીની અંદર ચર્ચા કરી શકાય છે. CWC ચૂંટણીને લઈને પાર્ટીનો યુ-ટર્ન સ્ટીયરિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોની પસંદગી કરવામાં આવશે નહીં, પરંતુ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સભ્યોને નોમિનેટ કરશે.
નોંધનીય છે કે, અગાઉ સંગઠનના મહાસચિવે 1 જાન્યુઆરીએ સંમેલનની જાહેરાત કરતી વખતે મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, (કોંગ્રેસ) બંધારણ મુજબ સંમેલનની સાથે CWCની ચૂંટણી પણ યોજાશે. જોકે કોંગ્રેસનો એક વર્ગ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. CWCની ચૂંટણીઓ અંગે એવું માનવામાં આવે છે કે, એવા ઉમેદવારો ચૂંટાઈ શકે છે જે ખડગેની દરેક વાત સ્વીકારવા કે નહીં સ્વીકારવા તૈયાર નહીં હોય. તેને આંતરિક ઝઘડા તરીકે પણ જોવામાં આવી રહ્યું હતું. તેથી જ પાર્ટીએ CWC ચૂંટણીને લઈને યુ-ટર્ન લીધો અને તમામ 35 સભ્યોને નોમિનેટ કરવાનું કામ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું છે. આ નિર્ણય સાથે કોંગ્રેસ અધ્યક્ષને પોતાની 35 લોકોની ટીમ પસંદ કરવાનો મોટો અધિકાર મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime