બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Chapra bihar saran 25 people died after consuming poisonous liquor
Vaidehi
Last Updated: 07:04 PM, 14 December 2022
બિહાર: છપરાં જિલ્લામાં ઝેરી દારૂથી થઇ રહેલી મોતનાં આંકડાઓ દિવસે-દિવસે વધી રહ્યાં છે. જિલ્લાનાં ત્રણ વિભાગોમાં ઝેરી દારૂથી આશરે 25 લોકોનું મોત નોંધાયું છે. મૃત્યુ બાદ જિલ્લાની ઓથોરીટીએ મૌન ધારણ કર્યું છે જો કે પોલીસે દારૂ વેંચનારની ધરપકડ કરી છે.
પોલીસ એક્શન મોડમાં
જે ઝેરી દારૂથી 25 લોકોનું મોત થયું તેને વેંચનાર સામે કડક પગલાં લેવાઇ રહ્યાં છે. પોલીસે ઇશુઆપુરનાં ડોઇલા ગામથી હરિરામ મહતો અને તેના પુત્ર સુરજ મહતોની ધરપકડ કરી છે. આ તે જ લોકો છે કે જેમના દ્વારા મોકલવામાં આવેલ દારૂ પીને 25 લોકોનું મોત અને 15થી વધારે લોકો બિમાર છે. વહીવટી તંત્ર દ્વારા 25માંથી 17 લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
Bihar | Death toll has reached 20 in Bihar Hooch tragedy in Chhapra area of Saran district.
— ANI (@ANI) December 14, 2022
કોઇને આંખ ગઇ તો કોઇનો જીવ!
ઘટના બાદ બુધવારે સવારે સદર હોસ્પિટલમાં બિમાર લોકોની લાઇન લાગી ગઇ હતી. કેટલાક લોકોની આંખોની દ્રષ્ટિ ગઇ તો કેટલાકે પોતાનો જીવ ગુમાવ્યો છે. SP સંતોષ કુમારે જણાવ્યું કે વહીવટી તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઇ રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં રેડ પણ પાડવામાં આવી રહી છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં અભિયાન ચલાવીને 40થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો આ કાંડમાં શામેલ 3 લોકોને પણ પોલીસ કસ્ટડીમાં ખસેડાયા છે.
પરિવારજનોએ ઉઠાવ્યાં તંત્ર પર સવાલો
ઝેરી દારૂ પીવાથી થઇ રહેલી મોત બાદ મૃતકનાં પરિવારોની સ્થિતિ બગડતી હોય તેવું લાગી રહ્યું છે. પરિવારજનો તંત્રની સામે પ્રશ્નો ઊઠાવી રહ્યાં છે કે જો દારૂબંધી છે તો લોકો દારૂ ક્યાંથી પી રહ્યાં છે અને પોતાનો જીવ કઇ રીતે ગુમાવી રહ્યાં છે? ઇસપુર પ્રખંડનાં ડોઇલા અને મસરખ પ્રખંડનાં યદુપુર ગામની સાથે સાથે અમનોર અને મઢોરામાં પણ આ દારૂથી લોકોનું મોત થયું છે. દારૂનાં લીધે થયેલ મોત બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
SP સંતોષકુમારે આપ્યું નિવેદન
તેમણે પત્રકારોને જણાવ્યું કે પોલીસ આ ઘટનાને ઘણી ગંભીરતાથી લઇ રહી છે અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કેમ્પ પણ કરી રહી છે. તેમણે કહ્યું કે મૃતકોનાં આંક પરની સત્યતા તપાસવીની જરૂર છે કારણકે ઘણા લોકોનું મોત અન્ય કારણોથી પણ થયું છે.
લોકોએ અધિકારીઓ વિરૂદ્ધ એક્શનની કરી માંગ
લોકોએ આ મુદે વહીવટી તંત્રની બેદકારી બાદ અધિકારીઓ વિરૂદ્ધ એક્શન લેવાની માંગ કરી છે. સદલ હોસ્પિટલમાં લોકોની મોત બાદ હોબાળો થઇ રહ્યો છે. જ્યાં જોઇએ ત્યાં રોવાનો કકળાટ સંભળાઇ રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog