બ્રેકિંગ ન્યુઝ
આવતી કાલ - રપ માર્ચથી ચૈત્ર માસની સાથે ચૈત્રી નવરાત્રી શરૂ થશે, જે ર એપ્રિલ સુધી રહેશે. આ નવરાત્રીમાં અખંડ નોરતાં છે. હાલ મહામારીના નિવારણ માટે સૌ ઘરમાં શુદ્ધ ઘીનો અખંડ દીપ રાખે તો સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે તેવી સામાજિક ચર્ચા થઇ રહી છે.
આ માસમાં હળવાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, સાથે ઠંડીનું પ્રમાણ પણ રહેવાની શક્યતા છે. વેપાર-વ્યવસાયમાં વધુ સખત નાણાકીય ભીડ જોવા મળે તેવા ગ્રહયોગ હોવાનું જ્યોતિષાચાર્યો કહી રહ્યા છે.
ચૈત્ર માસમાં ર દિવસ જ લગ્નનાં શુભ મુહૂર્ત રહેશે. ૧૬, ૧૭ એપ્રિલ: લગ્નનાં મુહૂર્ત છે. ર એપ્રિલ: રામનવમી, સ્વામિનારાયણજયંતી, ૮ એપ્રિલ: હનુમાનજયંતી, વૈશાખ સ્નાન પ્રારંભ આયંબિલ ઓળી પૂરી, રર એપ્રિલ: દર્શ અમાસ, સર્વપિતૃ અમાસ. ૧૩.૧૭એ પંચક ઊતરશે.
ઘટ સ્થાપનનાં મુહૂર્ત આ મુજબ છેઃ લાભ ચોઘડિયું: સવારે ૬.૪રથી ૮.ર૩ કલાક, અમૃત ચોઘડિયું: સવારે ૮.ર૩થી ૧૦.૧૪, ર૯ માર્ચે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ૩૦ માર્ચે ગુરુ મકર રાશિમાં પ્રવેશ કરશે. ૭ એપ્રિલે બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે. ૧૩ એપ્રિલ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.