બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / Central Govt notifies to set up 31 state UT benches GST Tribunal

એલાન / GST ભરતા લોકો માટે નાણાં મંત્રાલયનું મોટું પગલું, મળશે આ રાહત, કોર્ટ પેન્ડિંગ મામલાનો આવશે નિવેડો

Vaidehi

Last Updated: 08:00 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રાલયે GSTને લગતી ફરિયાદો કે અરજીઓનાં નિવારણ માટે 31 પીઠો બનાવી છે. આ પીઠ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત કરવામાં આવશે. જાણો વિસ્તારથી.

  • નાણામંત્રાલયે GSTને લગતી 31 પીઠોનું નિર્માણ કર્યું
  • દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપિત થશે પીઠ
  • વેપારીઓની ટેક્સ સંબંધિત ફરિયાદો અને અરજીઓનું નિવારણ પીઠ કરશે

દેશનાં લાખો વેપારીઓ માટે સારી ખબર છે. નાણામંત્રાલયે GSTની 31 પીઠ બનાવી છે. આ પીઠ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત કરવામાં આવશે. આ પગલાંથી ટેક્સ સંબંધિત 14000થી વધારે ફરિયાદો કે મામલાઓને ઝડપથી ઉકેલવામાં આવશે. વર્તમાનમાં ટેક્સ ઓફિસર્સનાં નિર્ણયથી અસંતુષ્ટ કરદાતાઓને સંબંધિત ઉચ્ચ ન્યાયાલયોનાં ચક્કર કાપવા પડે છે. અરજીઓ ઉકેલવામાં લાંબો સમય લાગી જાય છે કારણકે ઉચ્ચ ન્યાયાલયોમાં પહેલાથી જ ઢગલો કેસો પેંડિંગ પડ્યાં છે. આ ઉપરાંત GST મામલા માટે કોઈ વિશિષ્ટ પીઠ બનાવવામાં આવી નથી.

14 હજારથી વધારે મામલાઓ
લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર કેન્દ્રીય GST અધિકારીઓની તરફથી કરવામાં આવેલી કર માંગની સામે દાખલ કરવામાં આવેલી અપીલની સંખ્યા જૂન અંત સુધીમાં 14227 થઈ ગઈ જે માર્ચ 2021માં 5499 હતી. GSTની રાજ્ય સ્તરીય પીઠોની સ્થાપનાથી કંપનીઓ સંબંધિત વિવાદોનો જલ્દીથી ઉકેલ આવશે. 

31 પીઠોનું નિર્માણ
નોટિફિકેશન અનુસાર ગુજરાત તથા અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં GSTની 2 પીઠો હશે જ્યારે ગોવા અને મહારાષ્ટમાં કુલ 3 પીઠ સ્થાપવામાં આવશે. કર્ણાટક અને રાજસ્થાનમાં 2-2 પીઠો જ્યારે ઉત્તરપ્રદેશમાં 3 પીઠ રહેશે. પ.બંગાળ, સિક્કિમ, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, તમિલનાડુ, પોંડીચેરીમાં કુલ 2-2 GST પીઠ રહેશે. કેરળ અને લક્ષદ્વીપમાં 1 પીઠ રહેશે. સાત પુર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરની એક પીઠ હશે. અન્ય રાજ્યોમાં પણ GSTની 1-1 પીઠ રહેશે.

દ્વિતીય ચરણનું કામ શરૂ કરવામાં આવશે
AMRGનાં એસોસિએટ સીનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે હવે ટ્રિબ્યુનલ માટે યોગ્ય સ્થાનો પસંદ કરવા, યોગ્ય સદસ્યોની નિમણૂક અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો ઉપલબ્ધ કરાવવાનું કામ દ્વિતીય ચરણમાં શરૂ કરવામાં આવશે. ઉદ્યોગ મંડળ CIIનાં મહાનિર્દેશક ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે આ પ્રકારનાં ટ્રિબ્યુનલ ન હોવાને કારણે વેપારીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવા પડે છે જે સામાન્યરૂપે લાંબી પ્રક્રિયા છે અને તેમાં ઘણાં પૈસા પણ ખર્ચાઈ જતાં હોય છે. આ સિવાય ઉચ્ચ ન્યાયલયો પર બોજ પણ વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ