બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Boiling point of Salangpur dispute: Anger of sadhu-saints in the seventh sky

પ્રતિક્રિયા / સાળંગપુર વિવાદનો ઉકળતો ચરુ: સાધુ-સંતોનો ગુસ્સો સાતમા આસમાને, જુઓ કોણે શું આપ્યું અલ્ટિમેટમ

Vishal Khamar

Last Updated: 07:26 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઈ અનેક સાધુ-સંતોએ પોતાનો વિરોદ નોંધાવ્યો છે. જગન્નાથજી મંદિરનાં દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે આવતીકાલે લીંબડી ખાતે મોટી ધર્મસભા યોજાવા જઈ રહી છે. આ મહાસભામાં ગુજરાત તેમજ ગુજરાત બહારથી સંતો આવી રહ્યા છે. આવતીકાલની મીટીંગ બાદ આગળનો નિર્ણય લેવાશે.

  • સાળંગપુર મંદિરના ભીંતચિત્રનો વિવાદ યથાવત
  • વિવાદનો અંત ન આવતા જગ્ગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજનું નિવેદન
  • આવતીકાલે લીંબડીમાં યોજાશે મોટી ધર્મસભાઃ દિલીપદાસજી

જેતપુરમાં સનાતની સાધુ-સંતોએ મામલતદારને આપ્યું આવેદન
સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં સાધુ-સંતો લડી લેવાનાં મૂડમાં છે. ત્યારે જેતપુરમાં સનાતની સાધુ-સંતોએ મામલતદારે આવેદનપત્ર આપ્યું છે. સાળંગપુરમાંથી વિવાદિત ભીંત ચિત્ર દૂર કરવાની માંગ કરી છે. ભીંતચિત્ર ન હટાવાય તો આંદોલન કરવાની સાધુઓએ ચીમકી ઉચ્ચારી છે. 

આવતીકાલે લીંબડીમાં મોટી ધર્મસભા યોજવા જઈ રહી છેઃ દિલીપદાસજી
સાળંગપુર મંદિરનાં ભીંતચિત્રનો વિવાદ યથાવત છે. આ બાબતે જગન્નાથ મંદિરનાં દિલીપદાસજી મહારાજે આ મામલે નિવેદન આપ્યું છે કે આવતીકાલે લીંબડીમાં મોટી ધર્મસભા યોજાવા જઈ રહી છે. જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી સંતો આવી રહ્યા છે. ત્યારે બંને પક્ષનાં લોકો સાથે મળીને આનો જલ્દી અંત લાવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. આવતીકાલે મીટીંગ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. 

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ- હર્ષદગીરી મહારાજ
સાળંગપુર ખાતે ભગવાન હનુમાનજીનાં ભીંત ચિત્રોનો વિવાદને લઈ સાધુ સંતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં બેઠકો કરી સુખદ સમાધાન લાવવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.ત્યારે આ બાબતે વડોદરાનાં હરણી ભીડ ભંજન હનુમાન મંદિરનાં મહંત હર્ષદગીરી મહારાજે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સ્વામિનારાયણનાં સમકાલીન સંતો થઈ ગયા તેમની ગાથા છે. સ્તામિનારાયણની કેમ ઓળખ નથી?  નરસિંહ મહેતા, જલારામ બાપાને ભગવાને સાક્ષાત દર્શન આપ્યા હતા. સાચા સનાતની એ છે જે ભગવાધારીનું સન્માન કરે. અમે સંયમ રાખીએ છીએ. 

વિવાદને ગલીના ઝઘડા જેવો બનાવી દેવામાં આવ્યોઃમહેશગીરી બાપુ 
જૂનાગઢનાં ભૂતનાથ મહાદેવનાં મહંત મહેશગીરી બાપુએ વિવાદ અંગે નિવેદન આપ્યું હતું કે, વિવાદનો ઉકેલ લાવવા આચાર્ય સભા બોલાવવી જોઈએ. સનાતન ધર્મનાં પ્રશ્નોનાં ઉકેલ માટે જ આચાર્ય સભાનું ગઠન થયું છે. સભામાં હિંદુ ધર્મનાં દરેક આચાર્ય હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્ય પણ સભામાં સભ્ય હોય છે. વિવાદને ગલીનાં ઝઘડા જેવા બનાવી દેવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં અંદરો અંદર વિવાદ ન થવા જોઈએ. વિધર્મીઓથી હિંદુ ધર્મને બચાવવા એક થવાની જરૂર છે. આચાર્ય સભાથી વિવાદનો 100 ટકા અંત આવશે.

ભારતના સંતો હવે પાઠ ભણાવવાના મૂડમાં છે- ગૌરાંગચરણ દાસજી
હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતની સાધુ-સંતોમાં રોષ વ્યાપો છે. ભીંતચિત્રો અંગે ગૌરાંગચરણ દાસજીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગઈલાકે સાળંગપુરમાં બેઠક યોજવામાં આવી હતી. પોતાની ભૂલ હોય તો સ્વીકારવી જોઈએ. તેમજ પોતાની ભૂલ હોય તો સ્વીકારવી જોઈએ.  ભારતનાં સંતો હવે પાઠ ભણાવવાનાં મૂડમાં છે. ત્યારે લીંબડીની બેઠકમાં ભારતભરનાં સંતો આવશે. પાખંડીઓને સજા કરવા ભારતનાં સંતો સક્ષમ છે.

આપણે સનાતની છીએ આપણે ધીરજ રાખવી જોઈએ: જગદેવદાસ બાપુ
સાળંગપુર હનુમાનજીનાં ભીંત ચિત્રોનાં વિવાદને લઈ બરવાળાનાં લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ બાપુએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 2 દિવસમાં મંદિર દ્વારા નિર્ણય લેવાશે તેવું અમને જણાવેલ છે. આપણે સનાતની છીએ આપણે ધીરજ રાખવી જોઈએ. 2 દિવસ બાદ નિર્ણય નહિ આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ