બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Kishor
Last Updated: 08:54 PM, 10 July 2023
ગૌતમ બુદ્ધ એક રાજાના ઘરે જન્મ્યા હતા પરંતુ તેઓએ દુનિયામાં બનતી કેટલીક એવી ઘટનાઓ જોઇ કે તેઓએ રાજપાઠ છોડી ધર્મના માર્ગ પર ચાલવાનું નક્કી કરી લીધું. ત્યારબાદ તેઓે એક નવા ધર્મની સ્થાપના કરી. આજે તેમના એક અનુયાયીએ પણ આવું જ કર્યું. વેન સિરિપેન્યોએ 40,000 કરોડ રૂપિયાની સંપત્તિને ઠોકર મારી માત્ર 18 વર્ષની ઉંમરમાં જ બૌદ્ધ ભિક્ષુ બનવાનો નિર્ણય કર્યો છે.
શ્રીલંકાના તામિલ મૂળના ટેલિકોમ ટાયકુન આનંદ કૃષ્ણનના ઘરે જન્મેલા સિરિપેન્યોને પિતાની કરોડો રૂપિયાની કંપનીનું નેતૃત્વ કરવાનું હતું.આ કંપનીમાં ટેલિકોમ, મીડિયા, તેલ અને ગેસ, રિયલ એસ્ટેટ અને ઉપગ્રહોનો વ્યવસાય સામેલ છે. બધુ મળીને કૃષ્ણનની ઓછામાં ઓછી 9 કંપનીઓમાં ભાગીદારી છે. આ વ્યક્તિ મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. આનંદ કૃષ્ણન સ્વયં એક બૌદ્ધ અને એક પ્રમુખ સેવાભાવી વ્યક્તિ છે. જેઓ શિક્ષાથી લઇને માનવીય સેવા સુધી અનેક પ્રકારની સેવા કરે છે. કથિત રીતે તેમનો દિકરો માત્ર 18 વર્ષની ઉંમરમાં જ બૌદ્ધ ભિક્ષુ બની ગયો હતો. જો કે સિરિપેન્યોના ભિક્ષુ બનવા પાછળ કેટલાક કારણો જગજાહેર નથી.
પરંતુ એવું કહેવામાં આવે છે કે તેઓએ એકાંતવાસ દરમિયાન મોજ-મસ્તી માટે સન્યાસી જીવન અપનાવ્યું હતું. અસ્થાયીરૂપથી અપનાવેલી જીવનશૈલી સ્થાયી જીવનમાં બદલાઇ ગઇ. પોતાના પિતાના કરોડો રૂપિયાના સામ્રાજ્યને ચલાવવાને બદલે સિરિપેન્યોએ ભિક્ષા માગી સાદગીભર્યું જીવન અપનાવ્યું છે.
માતા એક રાજવી પરિવારમાંથી આવે છે
2 દશકથી વધુ સમય થઇ ગયો છે જ્યારે સિરિપેન્યોએ વિરાસતમાં મળેલી તમામ સંપત્તિનો ત્યાગ કરી દીધો અને એક ભિક્ષુક તરીકે જંગલમાં રહેવાનું પસંદ કર્યું હતું. તે થાઇલેન્ડના દત્તાઓ દમ મઠના મઠાધીશ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભિક્ષુ પોતાની માતા તરફથી થાઇ શાહી પરિવારનો વંશજ છે. સિરિપેન્યોના અગાઉના જીવન અંગે વધુ માહિતી સામે આવી નથી. પરંતુ કથિત રીતે તેમનું પાલન-પોષણ બ્રિટેનમાં તેની 2 બહેનની સાથે થયું હતુીં અને તે 8 ભાષા બોલી શકે છે.
એયરસેલ સાથે ક્નેક્શન
એયરસેલના સંસ્થાપક સી શિવશંકરન હતા, તેઓએ મેક્સિસ બેરહાદની સાથે મળીને શરૂઆત કરી હતી. મેક્સિસ બેરહાદ મલેશિયાની ટેલિકોમ કંપની છે. જેના માલિક આનંદ કૃષ્ણન છે. 2006માં મેક્સિસે એયરસેલમાં 74 ટકા ભાગીદારી ખરીદી તેનું અધિગ્રહણ કરી લીધું હતું. આ વાતને લઇને બાદમાં ખુબ જ વિવાદ પણ થયો હતો. એક સમયે એયરસેલ ચેન્નઇ સુપરકિંગ્સનું સ્પોન્સર પણ રહ્યું હતું. પરંતુ 2018માં કંપનીનું દેવાળિયું ફુંકાઇ ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો