જો તમે કૉર્પોરેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છો અને તમારી 5-6 વર્ષના કરિયરમાં ઘણી નોકરીઓ બદલી છે તો બની શકે કે તમારા 2-3 બેંક એકાઉન્ટ હશે કારણ કે સામાન્ય રીતે દરેક કોર્પોરેટ કંપનીઓ અલગ-અલગ બેંકોની સાથે ટાઇ-અપ કરે છે અને તે કંપનીના તમામ કર્મચારીઓના સેલેરી એકાઉન્ટ આ જ બેંકમાં ખોલવામાં આવે છે. એવામાં નોકરી છોડ્યા પછી કેટલાક લોકો પોતાના જૂના એકાઉન્ટ ચાલુ રાખવું પસંદ કરે છે અથવા તો નવું એકાઉન્ટ ખોલાવી દે છે. એવામાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એકથી વધારે બેંક એકાઉન્ટથી થતી સમસ્યાઓ વિશે જણાવીશું...
જૂનું એકાઉન્ટ બંધ ના કરાવ્યું તો આપવી પડે છે પેનલ્ટી:
નવી નોકરીમાં નવું બેંક એકાઉન્ટ ખોલાવ્યા પછી લોકો જૂની કંપનીની તરફથી ખોલવામાં આવેલું બેંક એકાઉન્ટ બંધ કરવાનું ભૂલી જાય છે જે સૌથી મોટી ભૂલ હોય છે. સામાન્ય રીતે બેંકમાં સેલેરી એકાઉન્ટમાં સતત 3 મહિના સુધી સેલેરી ના આવવાથી તેણે સામાન્ય સેવિંગ એકાઉન્ટમાં બદલી દેવામાં આવે છે અને તેમા પર્યાપ્ત રાશિ મેન્ટેન ના કરવા પર બેંક તમારી પાસેથી પેનલ્ટી વસૂલે છે. બેંકોની તરપથી આ સંબંધમાં વસૂલવામાં આવનારી પેનલ્ટી અને સેલેરી એકાઉન્ટને સેવિંગ એકાઉન્ટ બદલવાની અવધિ અલગ અલગ હોઇ શકે છે. કેટલીક બેંકો 6 મહિના સુધી મિનિમમ બેલેન્સ મેન્ટેન ના કરવા પછી શુલ્ક વસૂલે છે.
વધારે વ્યાજ મળતું નથી:
એકથી વધારે બેંકમાં એકાઉન્ટ હોવા પર સૌથી મોટી સમસ્યા એ છે કે દરેક એકાઉન્ટને મેન્ટેન કરવા પર તેમાં એક નક્કી કરેલી રાશિ રાખવી પડે છે તેના પર 4-6% વ્યાજ મળે છે. એવામાં જો તમે આ એકાઉન્ટ બંધ કરાવીને અને તેમાં રહેલી રાશિનું બીજે રોકાણ કરો તો તમને વધારે વ્યાજ મળી શકે છે.
ITR ભરવામાં આવે છે સમસ્યા:
એકથી વધારે બેંકોમાં એકાઉન્ટ હોવાને કારણે ITR દાખિલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવું એટલા માટે કેમકે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતા સમયે તમામ બેંકોના એકાઉન્ટ સાથે જોડાયેલી જાણકારી રાખવી અને તેના સ્ટેટમેન્ટનો રેકોર્ડ રાખવો મુશ્કેલ પડી જાય છે. તમારે તમામ બેંકોના એકાઉન્ટની જાણકારી ITRમાં આપવાની રહે છે. જો આવું કરવામાં ના આવે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.