બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / As 2023 begins, adopt these 7 remedies for happiness and peace at home, all wishes will be fulfilled
Megha
Last Updated: 12:41 PM, 31 December 2022
આવતીકાલે એટલે કે રવિવારથી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે આવનારું નવું વર્ષ ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલું રહે, નવા વર્ષમાં ઘરમાં સુખ-શાંતિ બની રહે અને નકારાત્મક ઉર્જા દૂર રહે. આ સાથે જ ઘરમાં માનસિક અને આર્થિક સમસ્યાઓ ન આવે. આ માટે લોકો નવા વર્ષમાં અનેક ઉપાયો પણ કરે છે, તેનાંથી એવું પણ માનવામાં આવે છે કે નવા વર્ષની શરૂઆત દેવી-દેવતાઓની પૂજાથી કરવી જોઈએ અને આમ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને તેની બધી મનોકામનાઓ પણ પૂરી થાય છે. વર્ષના પહેલા દિવસે એવા કયા ઉપાયો કરવા જોઈએ જેથી ઘરમાં હંમેશા આશીર્વાદ બની રહે, ચાલો જાણીએ..
1. સૂર્યદેવની પૂજા કરો
આપણા હિંદુ ધર્મમાં સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે, એટલા માટે વર્ષના પહેલા દિવસથી જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનું શરૂ કરી દો. આમ કરવાથી આખું વર્ષ ઘરમાં સુખ-શાંતિ રહેશે અને લોકો વચ્ચે માન-સન્માન પણ વધશે. આ સિવાય આર્થિક રીતે બધી સમસ્યાઓ દૂર થશે, જણાવી દઈએ કે સૂર્યદેવની કૃપા સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.
2. ઘરની સુખ-સમૃદ્ધિમાં થશે વધારો
ઘરની સુખ-સમૃદ્ધિમાં થશે વધારો કરવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં થોડું કેસર નાખો, આ પછી શિવલિંગ પર આ જળ ચઢાવો. જળ ચઢાવતા સમયે ऊं महादेवाय नम: મંત્રનો જાપ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે અને બધી નકારાત્મક ઉર્જાનો નાશ થશે.
3. તુલસીની સ્થાપન કરો
ધાર્મિક દ્રષ્ટિએ તુલસી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને નવા વર્ષની શરૂઆતમાં તુલસીનો છોડ ચોક્કસથી ઘરે લાવીને દરરોજ તેની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ તેમજ ધનની પ્રાપ્તિ થશે. આ સાથે જ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઘરની શુદ્ધિ થાય છે.
4. ઘરની સાફ-સફાઈ
વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વચ્છતા ઘરમાં શુભતાનું સંચાર કરે છે એટલા માટે નવા વર્ષમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો જ્યાંથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. આ માટે ખાસ ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવો.
5. તૂટેલી મૂર્તિઓ હટાવી દો
નવા વર્ષ પહેલા પૂજા ઘરની સફાઈ કરવાની સાથે જ તૂટેલી મૂર્તિઓ ખાસ દૂર કરો. વર્ષના પહેલા દિવસે ભગવાન ગણેશના મંદિરે જઈને ગણેશજીને લાડુ ચઢાવ્યા પછી એ પ્રસાદ ગરીબોમાં વહેંચો.
6. ગાયત્રી મંત્રનો જાપ કરો
સારી નોકરી અને પ્રમોશન મેળવવા માટે નવા વર્ષની શરૂઆતમાં દરરોજ 31 વખત ગાયત્રી મંત્રનો જાપ કરો.
7. હનુમાનજીને ચોલા અર્પણ કરો
નવા વર્ષના પહેલા દિવસે પવનસુત હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે.બજરંગબલીની પૂજા કર્યા પછી ચોલા ચડાવો.જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ચોલા ચઢાવવા જોઈએ.આ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime