બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Kavan
Last Updated: 01:10 PM, 13 December 2020
કોલકાતા પોલીસના વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ સિતાર વાદક નિખિલ બંદિયોપાધ્યાયની પુત્રી આર્યા શુક્રવારે રહસ્યમય સંજોગોમાં તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી હતી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેણે વધુ પ્રમાણમાં દારૂ પીધેલી હોવાનું બહાર આવ્યું છે.
હાર્ટ અટેકને કારણે મોત થયું હોવાની આશંકા
તેમણે કહ્યું કે ડોક્ટરોએ તેની હત્યાની કોઈ પણ શક્યતાને નકારી કાઢી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે શક્ય છે કે અભિનેત્રીને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો હોય અને તે પછી તે મદદ માટે પૂછવા ઉભી થઇ પણ તે નીચે પડી ગઈ. તેમણે કહ્યું કે પોસ્ટ મોર્ટમની તપાસ દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેના શરીરની નજીકથી મળી આવેલું લોહી મુખ્યત્વે તેના પડવાના કારણે જ બહાર આવ્યું હોઇ તેવું બની શકે છે.
અનેક બીમારીઓથી પીડિત હતી અભિનેત્રી
તેણે કહ્યું કે તેના પેટમાંથી આશરે બે લિટર દારૂ મળી આવ્યો છે. તેણી તેના ચહેરા પર પડી હતી, જેના કારણે તેને ઈજા થઈ હતી અને તેના શરીરમાંથી લોહી નીકળ્યું હતું. પોલીસને તેના ઘરમાંથી દારૂની અનેક બોટલ અને લોહીના ડાઘાવાળા ટિશ્યૂ પેપર્સ મળી આવ્યા હતા. તપાસમાં જણાવાયું છે કે 33 વર્ષીય અભિનેત્રી બીમાર હતી અને હ્રદય સંબંધી સમસ્યાઓ સહિત વિવિધ બિમારીઓથી પીડિત હતી.
સંદિગ્ધ અવસ્થામાં મોત થયું
બોલિવૂડ ફિલ્મોમાં નજરે પડેલી અભિનેત્રી આર્યા બેનર્જીનું સંદિગ્ધ અવસ્થામાં મોત થઈ ગયુ છે. તેનું શબ કલકત્તાના તેના ફ્લેટમાંથી મળી આવ્યું છે. હાલમાં તો આર્યાના મોતનું કારણ જાણવા મળ્યુ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રીનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેનું ઘર સાઉથ કલકત્તાના જોધપુર પાર્કમાં આવેલુ છે.
લવ સેક્સ ઓર ધોખામાં પણ કામ કર્યુ
આર્યાએ વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિક્ચરમાં એક નાનો એવો પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. તે એક ગીતમાં વિદ્યા સાથે ટક્કર લેતી દેખાય છે. તેણે ડર્ટી પિક્ચરમાં ‘હનીમૂન કી રાત’ ગીત પર ડાંસ કર્યો હતો. આ ફિલ્મમાં આર્યાએ શકીલ નામનું પાત્ર ભજવ્યુ હતું. તો વળી તેને ‘લવ સેક્સ ઓર ધોખા’ માં પણ તેણે કામ કર્યુ હતું. આર્યા બેનરજીનું અસલી નામ દેવદત્તા બેનરજી હતું. તે પ્રસિદ્ધ સિતાર વાદક પંડિત નિખિલ બેનરજીની સૌથી નાની પુત્રી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો