ગુજરાતમાં કોરોનાના વાયરસની સ્થિતિ સ્ફોટક બનતી જાય છે. કોરનાના સંક્રમણોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ મણિનગર મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર માટે શહેરની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારે હવે સંસ્થાનના નવા ગાદિપતિ તરીકે જીતેન્દ્રિય પ્રિયદાસજીની નિમણુંક કરવામાં આવી છે.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની નિંમણૂક
ગાદીપતિ પુરુષોત્તમ પ્રિયદાસજીની તબિયત નાદુરસ્ત હોવાથી
જીતેન્દ્રિય પ્રિયદાસજીને નવા ગાદીપતિ બનાવમાં આવ્યાં
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની નિંમણૂક કરવામાં આવી છે. ગાદીપતિ પુરુષોત્તમ પ્રિયદાસજીની તબિયત નાદુરસ્ત હોવાથી, જીતેન્દ્રિય પ્રિયદાસજીને નવા ગાદીપતિ બનાવમાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોરોના સંક્રમિત પી.પી સ્વામી હાલ વેન્ટિલેટર પર છે અને તેમની તબિયત ખૂબ જ નાજુક છે. મણિનગર સ્વામિનારાયણ સંસ્થાનના વિશ્વભરમાં લાખો અનુયાયી છે.
ઉલ્લેખનીય છે કે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશમાં 250 વધારે મંદિરો, ગુરુકુળો, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ સહિત વગેરે સંસ્થાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના વર્તમાન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીની કોરોનાના કારણે તબિયત વધુ નાદુરસ્ત રહેતા તેમના નવા ઉત્તરાધિકારી તરીકે શાસ્ત્રી જીતેન્દ્રિય પ્રિયદાસજીની નિમણૂંક કરવામાં આવી છે. આમ જીતેન્દ્રિય પ્રિયદાસજી હવે પી. પી. સ્વામીના સ્થાને સંસ્થાનો તમામ સંપત્તિઓનો વહીવટ સંભાળશે.