બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Daily Horoscope / Ancient Hinglaj Mataji's cave is located in Girsomanath

દેવ દર્શન / ગુજરાતમાં ગુફામાં બિરાજે છે જગત દેવી, પાંડવોએ કર્યું હતું સ્થાપન, સુર્યદેવ અને મા રાંદલ પણ હાજરાહજૂર

Dinesh

Last Updated: 07:17 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dev Darshan: માં હિંગળાજનાં દર્શન કરવા માટે ભક્તોએ નીચે બેસીને ગુફામાં ઉતરવું પડે છે.પાંડવોએ પોતાના ગુપ્ત વનવાસ દરમ્યાન હીંગળાજ માતાજીની સ્થાપના કરી હતી

  • ગીરસોમનાથમાં પ્રાચીન હિંગળાજ માતાજીની ગુફા
  • હિરણ,કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ 
  • ત્રિવેણી સંગમ પાસે હિંગળાજ માં ની ગુફા

વર્તમાન ગીર સોમનાથ જિલ્લાની પ્રાચીન સમયમાં પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાણ હતી. હાલમાં  કોઈપણ પૂજા વિધિ કરાવતી વખતે ગોર મહારાજ સંકલ્પ કરાવે ત્યારે તેમાં પ્રભાસ ક્ષેત્રનું નામ અચૂક આવતું હોય છે. પ્રભાસક્ષેત્રને સોમનાથ ક્ષેત્ર પણ કહેવાય છે. આ સ્થળે ત્રિવેણી સંગમ અને ઘાટ પણ આવેલો છે. ત્રિવેણી સંગમની નજીક અતિ પ્રાચીન હિંગળાજ માતાજીની ગુફા આવેલી છે. 

અસ્થિ વિસર્જન અને પિતૃ શ્રાદ્ધનું અનેરૂ મહત્વ
ગીર સોમનાથ જિલ્લો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત આ જિલ્લામાં અનેક પ્રાચીન મંદિરો અને સ્થાપત્યો આવેલા છે. સોમનાથમાં સમુદ્ર,અરણ્ય,પર્વતો અને કેટલીય નદીઓ આવેલી છે. સમગ્ર વિશ્વમાં વસતા એશિયાટિક સિંહોનું આશ્રય સ્થાન ગીરનું જંગલ અને અનેક કુદરતી સંપદાઓ સોમનાથ જિલ્લામાં આવેલા છે. ભક્તિ અને શક્તિનું વિશેષ મહત્વ ધરાવતા.સોમનાથના સમુદ્રમાં હિરણ,કપિલા અને સરસ્વતી નદી મળી ત્રિવેણી સંગમ રચે છે. સંગમમાં અસ્થિ વિસર્જન અને પિતૃ શ્રાદ્ધનું અનેરૂ મહત્વ છે.

પૂજારીનો પરિવાર સાત પેઢીથી માતાજીની સેવાપૂજા કરે છે
ત્રિવેણી સંગમની નજીકમાં જ માં હિંગળાજ 30 થી 40 ફૂટ ઉંડી ગુફામાં સાક્ષાત બિરાજમાન છે. માં હિંગળાજનાં દર્શન કરવા માટે ભક્તોએ નીચે બેસીને ગુફામાં ઉતરવું પડે છે.પાંડવોએ પોતાના ગુપ્ત વનવાસ દરમ્યાન હીંગળાજ માતાજીની સ્થાપના કરી હતી. હાલ મંદિરમાં માતાજીની સેવાપૂજા કરતા પૂજારીનો પરિવાર સાત પેઢીથી માતાજીની સેવાપૂજા કરે છે. ગુફામાં માતાજીના દર્શને જતા કેટલાક ભક્તોને ઓક્સિજનની કમી પણ પડે છે. થોડો શ્વાસ મૂંઝાતો હોય તેવી અનુભતી થાય છે. પણ સાચી શ્રદ્ધાથી માં હિંગળાજના દર્શને સાચા ભાવથી જનારા ભાવિકને આજદિન સુધી કોઈ સમસ્યા થઈ નથી.

માં હિંગળાજનું મંદિર 5 હજાર વર્ષ પૌરાણિક
40 ફૂટ જેટલી ઉંડી ગુફામાં જઈ માતાજીના દર્શન કરી ભાવિકો પ્રફુલ્લિત થઈ ચીર શાંતિનો અનુભવ કરે છે. માં હિંગળાજનું મંદિર 5 હજાર વર્ષ પૌરાણિક છે. તેવા અનેક પ્રમાણો ગ્રંથોમાં જોવા મળે છે. ગુફામાં માતાજીના દર્શન કરવા ઉતરીએ ત્યારે શરૂઆતમાં થોડીવાર માટે થોડી ગભરામણનો અહેસાસ થાય છે પણ દર્શન કર્યા બાદ ભાવિકો એકદમ સ્વસ્થ થઈ જાય છે. કૃષ્ણ ભગવાનના સૂચન મુજબ પાંડવોએ સુર્યના પ્રકોપથી બચવા સુર્યનારાયણનુ પ્રથમ મંદિર અને લોકવાયકા પ્રમાણે મંદિર પરિસરમાં આવેલો સુર્યકુંડ એક જ રાતમાં નિર્માણ કરવામાં આવ્યો હતો. સુર્યનારાયણ મંદિરમાં સુર્યદેવ અને રાંદલમાં બિરાજમાન છે. સોમનાથના ત્રિવેણી ઘાટ નજીક ગુફામાં આવેલું માં હિંગળાજનું મંદિર દિવ્યતાની અનુભૂતિ કરાવનારું છે. પૂરતી આસ્થા અને શ્રદ્ધા સાથે માના દર્શને આવેલી વ્યક્તિ મંદિરેથી નિરાશ વદને ક્યારેય પાછી જતી નથી.

મંદિરનો ઈતિહાસ
માં હિંગળાજ તેના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે. મંદિરનો ઈતિહાસ જોઈએ તો મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ યાદવોમાં આંતરિક યાદવાસ્થળી થઈ અને તેઓ અકાળ મૃત્યુને ભેટ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પણ આ ઘટનાને લઈને વિચલિત થયા હતા.થોડા સમય બાદ ભગવાન શ્રીકૃષ્ણ એ સ્વધામ ગમન કર્યું. પાંડવો અહીંથી પસાર થયા ત્યારે તેઓએ અકાળે અવસાન પામેલા યાદવો અને ભગવાન શ્રીકૃષ્ણનાં મોક્ષાર્થે ત્રિવેણી ખાતે શ્રાદ્ધ ક્રિયા કરી અને તર્પણ કર્યું. ત્યાર બાદ વનવાસ દરમ્યાન જે ગુફામાં વસેલા તે ગુફામાં પાંડવોએ પોતાના કુળદેવી હિંગળાજ માતાની પ્રતિષ્ઠા કરી અને પૂજન કર્યું હતું. ત્યારથી માતાજી બિરાજમાન છે.

વાંચવા જેવું: ગુજરાતમાં પ્રગટ્યા છે સ્વયંભુ મહાદેવ, શિવલિંગને બહાર કાઢતા વધારે ઊંડું ઉતરતું, સમુદ્રી માતાના પણ પ્રથમ દર્શન

નિયમિત પણે પૂજા આરતી કરવામાં આવે છે
ભક્તોને દર્શન આપી મનોકામના પૂર્ણ કરતા હિંગળાજ માતાના દર્શને ગુફામાં જવું કઠિન છે. પણ જો શ્રદ્ધા આસ્થા સાથે દર્શન કરવા જાવ તો અશક્ય નથી. ગુફામાં માતાજીની મંજૂરી બાદ એક હેક્ઝોસ ફેન લગાવેલો છે. રાજ્ય અને રાજ્ય બહારથી ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે માતાજીના મંદિરે આવી શાંતિ અને ધન્યતા અનુભવે છે. હીંગળાજ માતાજીનુ એક મંદિર બલુચિસ્તાનમાં પણ છે. ભાવિકો અહીંના મંદિરે માતાજીના દર્શન કરીને દૂર બલુચિસ્તાનમાં બિરાજમાન માતાજીના દર્શન કર્યાની લાગણીનો અહેસાસ કરે છે. માતાજીની નિયમિત પણે પૂજા આરતી કરવામાં આવે છે. માતાજીના દર્શને ગુફામાં જવા આવવા માટે માટે એકજ સીડી વાળો રસ્તો છે. જ્યારે પણ માતાજીને ચિઠ્ઠી નાખીને બીજો રસ્તો બનાવવાની પરવાનગી માંગવામાં આવી ત્યારે માતાજી તરફથી ના જ આવી છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ