બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Dhruv
Last Updated: 11:30 AM, 22 March 2022
પાકિસ્તાનમાં હુમલાખોરોએ એક હિન્દુ છોકરીનું અપહરણ કરવાના પ્રયાસમાં નિષ્ફળ ગયા બાદ રસ્તાની વચ્ચે ગોળી મારીને હત્યા કરી દીધી છે. 18 વર્ષની પૂજા ઓડે સુક્કરનાં રોહીમાં અપહરણકર્તાઓનો વિરોધ કર્યો હતો ત્યાર બાદ તેને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવાઇ હતી.
પીપલ્સ કમિશન ફોર માઈનોરિટીઝ રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસના જણાવ્યાં અનુસાર, પૂજાનું પહેલા રસ્તા પરથી અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે હુમલાખોરોએ તેને જાહેર રસ્તા વચ્ચે જ ગોળી મારી દીધી. દર વર્ષે લઘુમતી સમુદાયોની મહિલાઓનું સિંધમાં અપહરણ કરવામાં આવે છે અને ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા બળજબરીથી તેઓનું ધર્માંતરણ કરવામાં આવે છે.
બળજબરીથી લગ્ન અને ધર્માંતરણનો સામનો
પાકિસ્તાનના લઘુમતી સમુદાયો ઘણાં લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધર્મ પરિવર્તન અને બળજબરીથી લગ્ન કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે એક વાર ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 18 વર્ષની છોકરીને ખુલ્લેઆમ ગોળી મારી દેવામાં આવી.
6 વર્ષમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ
વર્ષ 2019 માં, સિંધ સરકારે હિન્દુ લઘુમતીઓના બળજબરીથી ધર્માંતરણ અને લગ્નને રોકવા માટે એક કાયદો ઘડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ જોરદાર વિરોધ અને પ્રદર્શનોના કારણે કાયદો ન ઘડી શકાયો. પરિણામે આજે પણ ધર્મ બદલો કે મરો એવી પીડાદાયક પ્રક્રિયા ચાલુ છે. તમને જણાવી દઈએ કે, 2013 થી 2019 સુધીમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો