બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AMC to buy 16 lakh new cars for railways,The budget for the road is not for the car
Vishnu
Last Updated: 11:15 PM, 9 December 2021
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની ખરીદીઓને લઈને હંમેશા નવા નવા વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એકવાર AMC ખરીદી મામલે વિવાદમાં આવી છે.16 લાખની કાર ખરીદવા મામલે વિવાદ સર્જાયો છે. એક બાજુ AMC રોડ-રસ્તા માટે બજેટ ન હોવાના ગાણા ગાઈ રહી છે.ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં 16 લાખની કાર ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી છે.અને આ કાર રેલવે સુપરવાઈઝરને આપવાની છે. જેને લઈને વિવાદ વકર્યો છે.
હિતેશ બારોટે કર્યો લૂલો બચાવ
આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, રેલવેએ AMC પાસેથી એક કરોડ રૂપિયા લેવાના બાકી નિકળે છે.જેમાંથી આ કાર ખરીદવામાં આવશે.અને આ કાર રેલવે અધિકારીઓ સુપરવિઝન માટે વાપરશે. આમ, એક કરોડ રૂપિયામાંથી આ કારના નાણા બાદ કરવામાં આવશે.
રસ્તા રિપેર કરવા, ઢોર હટાવવા માટે નથી બજેટઃ અમદાવાદ મનપા
ગઈ કાલે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. રસ્તા અને પશુ હટાવાને લઇ અમદાવાદ મનપાએ કહ્યું કે કોરોના બાદ રસ્તાની કામગીરી કે ઢોર હટાવવા માટે અમારી પાસે બજેટ નથી. ત્યારે આજે ગાડીઓ માટે રૂપિયાની ફાળવણી કરતાં ફરી એક વખત અમદાવાદ મનપાની મંછા પર સવાલ ઉઠી રહ્યા છે. જો કે રેલવેએ AMC પાસેથી લેણું નીકળે છે જેથી કાર ખરીદીની રકમ તેમાંથી બાદ કરવામા આવશે.
કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવોઃ ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢતા કહ્યું કે કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવો. તૂટેલા રોડથી જનતા પીડાય છે. રખડતા પશુઓ હજુ પણ રસ્તા પર જોવા મળે છે. જ્યારે તમારી કામગીરી માત્ર સોગંદનામામાં જ નજરે પડે છે. AMC દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામાથી અનેક સવાલ થઈ રહ્યા છે. અમદાવાદમાં રોડ રસ્તા અને ઢોરની પરેશાનીના કારણે જનતા પરેશાન છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કાગળ પર દાવા કરવામાં આવતા હતા. ત્યારે હવે AMCના જવાબથી અનેક સવાલ થઈ રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT