બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Hiren
Last Updated: 03:15 PM, 6 August 2019
એસવીપી હોસ્પિટલના બી-ર વોર્ડમાં ર ઓગસ્ટે પીઓપીની છત તૂટી પડ્યાની ઘટનાને હોસ્પિટલના સત્તાધીશોએ સામાન્ય ગણાવી હતી. એસવીપી હોસ્પિટલના સીઇઓ રમ્ય ભટ્ટે માત્ર એક ટાઇલ્સ નમી ગઇ હોવાનો દાવો કર્યો હતો. જોકે વિપક્ષ કોંગ્રેસે જાન્યુઆરીમાં લોકાર્પણ થયેલી એસવીપી હોસ્પિટલમાં ઉતાવળે કામ કરાવતા મોટું કૌભાંડ થયું હોઇ તેની રાજ્ય સરકારના તકેદારી આયોગ દ્વારા તપાસ કરાવવાની માગણી કરાઇ હતી.
હવે એસવીપી હોસ્પિટલની પાછળ આવેલી બે માળની યુટિલિટી હોસ્પિટલના પહેલા માળે એક ડોકટરની ઓફિસની પીઓપી છતના પોપડા ગઇ કાલે બપોરે એકથી બે વચ્ચે અચાનક ખરી પડતાં વહીવટી અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ યુટિલિટી ઓફિસ બિલ્ડિંગમાં વહીવટી અધિકારીઓ, સીસીટીવી કંટ્રોલ રૂમ, સિક્યોરિટી, ફાયર કંટ્રોલ, વોટર ઓપરેશન જેવા એસવીપી હોસ્પિટલના સંચાલન કરતા વિભાગોની ઓફિસ છે.
જાણકાર સૂત્રો કહે છે, યુટિલિટી બિલ્ડિંગના પહેલા માળે પ્રવેશ કરતાં વહીવટી અધિકારીઓની ઓફિસ આવેલ છે. આ ઓફિસોની સંલગ્ન એક ડોકટરની ઓફિસ છે જ્યાં ગઇકાલે બપોરે અચાનક પીઓપીની છત ખરી પડતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ મામલે એસવીપી હોસ્પિટલના સીઇઓ રમ્ય ભટ્ટ સહિતના એક પણ વહીવટી અધિકારીનો સંપર્ક થઇ શકતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT