સુરતમાં થયેલી આગની ઘટના બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ AMCએ તવાઈ બોલાવી છે. અમદાવાદમાં ઈસનપુરમાં શીતલ સૌરભ સ્કૂલમાં AMC દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સ્કૂલ સંચાલક દ્વારા ટેરેસ પર ફાયબરનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.