બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambaji year 2023 On the first day of the new year pilgrims gather in huge crowds
Kishor
Last Updated: 04:27 PM, 1 January 2023
નવા વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામોના ભક્તોની ભારે ભીડ જામતી હોય છે ત્યારે આજે યાત્રાધામ અંબાજીમાં પણ શ્રધ્ધાળું ઉમટી પડ્યા હતા. ભક્તોએ જગતજનની માં અંબાના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. નવા વર્ષના પ્રારંભ અને રજાઓના દિવસોને લઈને અંબાજી ખાતે વહેલી સવારેથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી. શ્રદ્ધાળુઓએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવી નવું વર્ષ હર્ષ ઉલ્લાસથી પસાર થાય તેવી પ્રાથના કરી હતી. મા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શક્તિપીઠ અંબાજીમાં ભક્તો ઉમટયા સંખ્યામાં
યાત્રાધામ અંબાજી માં જગતજનની અંબા નુ શક્તિપીઠ તરીકે દેશ વિદેશમાં વિખ્યાત છે. માં અંબાનુ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ પ્રખ્યાત છે. જેમાં દેશ વિદેશથી માં અંબાના ભક્તો દર્શનને આવતા હોય છે. શક્તિપીઠ અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીનો આશીર્વાદ મેળવવા પહોંચતા હોય છે. તેવામાં આજે નવવર્ષના આરંભે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી આવી પહોચ્યા હતા.
ભીડને લઈ વટીવટી તંત્ર પણ સતર્ક બન્યું
માઇભક્તોએ માં અંબાની કૃપાથી નવુવર્ષ સુખ શાંતિ અને આરોગ્યમય રીતે વિતે તેવી પ્રાર્થના કરી વર્ષ 2023 ના પ્રથમ દિવસને ઉજવ્યો હતો.બીજી તરફ યાત્રાળુઓના પ્રવાહને લઇને વટીવટી તંત્ર પણ સતર્ક બન્યું હતું. જેમાં કોઈ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ