બ્રેકિંગ ન્યુઝ
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
VTV / Ahead of polls, Modi govt mulling Rs 60,000 cr housing loan subsidy scheme: Report
Hiralal
Last Updated: 06:19 PM, 25 September 2023
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લાવી રહી છે. આ અંતર્ગત લોકોને બેંકો પાસેથી લોન લેવા પર વ્યાજમાં મોટી રાહત આપવામાં આવશે. આ માટે સરકાર આગામી 5 વર્ષમાં 60,000 કરોડનો ખર્ચ કરવા પર વિચાર કરી રહી છે.
Govt considering $7.2 bn housing loan interest subsidy scheme: Agencies pic.twitter.com/zdjHytxAv1
— ET NOW (@ETNOWlive) September 25, 2023
શું છે પ્લાન?
આ યોજના હેઠળ 90 લાખ રૂપિયા સુધીની લોનમાં 3-6.5 ટકાની વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડી આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 20 વર્ષના સમયગાળા માટે લેવામાં આવેલી 5 કરોડ રૂપિયાથી ઓછી હોમ લોન સૂચિત યોજના માટે પાત્ર રહેશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યાજમાં રાહત લાભાર્થીઓના હોમ લોન ખાતામાં એડવાન્સ તરીકે જમા કરવામાં આવશે. આ યોજના 2028 સુધી લાગુ કરી શકાય છે. આ યોજનાથી શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા જૂથોમાં 25 લાખ લોન અરજદારોને લાભ થઈ શકે છે. બે બેંક અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ યોજના અંગે સરકારી અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. બેંકોએ લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જો કે, આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અને નાણાં મંત્રાલયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ચૂંટણીઓની સિઝનમાં સરકાર રાહત જાહેર કરી શકે
આ વર્ષના અંતમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સરકાર અલગ-અલગ ક્લાસ માટે રાહત જાહેર કરી રહી છે. તાજેતરમાં એક ચોક્કસ વર્ગ માટે વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. મોંઘવારી ઘટાડવા સરકારે ઘરેલું એલપીજીના ભાવમાં લગભગ 200 રુપિયાનો ઘટાડો કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ