બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Priyakant
Last Updated: 11:42 AM, 6 April 2024
West Bengal : લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIA અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા એક અધિકારી ઘાયલ થયા હતા.
Bengal: NIA team comes under attack in Purba Medinipur while picking up suspect in blast case
— ANI Digital (@ani_digital) April 6, 2024
Read @ANI Story | https://t.co/32sYvjz4RS #WestBengal #PurbaMedinipur #NIA pic.twitter.com/tLOAFnNmiD
પોલીસને જાણ કરી હતી છતાં પણ....
આ ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. NIA ટીમ દ્વારા માનવેન્દ્ર જાના અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NIA અધિકારીઓ મોનોબ્રોતો જાનની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. NIA સૂત્રએ જણાવ્યું કે, દરોડા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ઘટના અંગે NIA દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
#WATCH | West Bengal: NIA officers had to face protesters in Bhupatinagar while they were carrying out an investigation in connection with the Bhupatinagar, East Medinipur blast case. People allegedly tried to stop the NIA team from taking the accused persons along with them.… pic.twitter.com/KKL33S4Plm
— ANI (@ANI) April 6, 2024
અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ
NIA અધિકારીની ફરિયાદના આધારે ભૂપતિનગર પોલીસ સ્ટેશને મુખ્ય આરોપી મોનોબ્રોતો જાના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 341, 332, 353, 186, 323, 427, 34 અને PDPP એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 1984ની કલમ 3 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની વચ્ચે એજન્સીએ મોનોબ્રોતો જાનની ધરપકડ કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh