બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:18 AM, 13 July 2021
ADVERTISEMENT
ઘરે થઈ શકશે કોરોનાનો ટેસ્ટ
સ્વાસ્થ્ય સેવા વિસ્તારની પ્રમુખ કંપની એબોર્ટે કહ્યું કે તેમને ભારતમાં વયસ્કો અને બાળકોના લક્ષણ વાળા અને લક્ષણો વગરના સાર્સ સીઓવી-2 વાયરસને શોધવા માટે કોવિડ 19 ઘરેલૂ પરિક્ષણ કિટ રજૂ કરી છે. જે કિંમત 325 રુપિયા છે. એબોર્ટના એક નિવેદનમાં કહેવામાં કહ્યું કે કંપની લાખોની સંખ્યામાં પૈનબિયો કોવિડ 19 રેપિડ એન્ટીજન પરિક્ષણ કિટ આપશે. જે ખાનગી ઉપયોગ માટે ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
કંપનીએ કહ્યું કે આનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્ય પ્રણાલિઓ પર ભાર ઓછો કરવામાં મદદ મળશે. એબોર્ટનું કહેવું છે કે કિટની મદદથી ઘર પર સરળતાથી કોવિડ 19 વાયરસની તપાસ કરી શકાય છે.
.jpg)
ADVERTISEMENT
કંપનીનું નિવેદન
કોરોનાની તપાસ કિટને લઈને એબોર્ટ કંપની તરફથી નિવેદન જારી કરી કહ્યું છે કે કંપની લાખો પૈનબિયો કોવિડ 19 રેપિડ એન્ટીજન પરિક્ષણ કિટ આપશે. જેનો ઉપયોગ પોતાની રીતે કરી શકાય છે. કંપનીએ જણાવ્યું કે જો લોકો આ કિટની મદદથી તપાસ કરે છે તો શહેર અને ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્ય પ્રણાલિયો પર બોજો ઓછો કરવામાં મદદ મળશે.
ADVERTISEMENT

સરળ, સટીક અને તેજ પરિક્ષણના કારણે નવી લહેરને રોકી શકાય
ADVERTISEMENT
એબોર્ટ કંપનીએ કહ્યું કે ભારતમાં ઘર પર આ કિટના ઉપયોગ માટે સ્વ પરિક્ષણ, દેખરેખની સાથે સાથે કાર્યસ્થળો પર પરિક્ષણોની રજુઆત કરશે. આમ થવા પર વર્કર કામ કરી શકશે અને વગર ડરે કામ કરી શકશે. આઈસીએમઆપના પૂર્વ ડિરેક્ટર નિર્મલ કુમાર ગાંગુલીએ કહ્યું કે સરળ, સટીક અને તેજ પરિક્ષણના કારણે દેશમાં કોરોનાની નવી લહેરને રોકી શકાય છે અને કમ્યૂનિટી સ્પ્રેડ પર અંકુશ લગાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.