બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir Khan visits Himachal flood victims, donates 25 lakhs People ask, 'Where is Kangana, Anupam Kher and Preity Zinta?'

મનોરંજન / હિમાચલના પૂર પીડિતોની વ્હારે આવ્યો આમિર ખાન, 25 લાખનું દાન કરતા લોકોએ પૂછ્યું, 'કંગના, અનુપમ ખેર અને પ્રિટી ઝિંટા ક્યાં?'

Megha

Last Updated: 09:49 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશ માટે આમિર ખાને સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે જે બાદ અનુપમ ખેર, કંગના રનૌત, યામી ગૌતમ અને પ્રીતિ ઝિન્ટા  જેવા કલાકારો લોકોના નિશાના પર આવ્યા છે.

  • હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને ઘણી તારાજી સર્જાઈ છે 
  • આમિર ખાને સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું
  • આ બાદ બોલિવૂડની અનેક હસ્તીઓ લોકોના નિશાના પર આવી

આ વખતે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને ઘણી તારાજી સર્જાઈ છે જેમાં રાજ્યને 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તે જ સમયે, 460 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં રાજ્યને ફરી વિકસાવવા માટે મોટા રાહત પેકેજની જરૂર છે. હાલ લોકો સતત સીએમ રિલીફ ફંડમાં દાન આપી રહ્યા છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર આમિર ખાને સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

બોલિવૂડની અનેક હસ્તીઓ હિમાચલ પ્રદેશના લોકોના નિશાના પર આવી
હવે થયું એવું કે આમિરના દાન બાદ બોલિવૂડની અનેક હસ્તીઓ હિમાચલ પ્રદેશના લોકોના નિશાના પર આવી છે. આમિર ખાનના રાહત ફંડમાં દાન આપ્યા પછી, લોકો અભિનેતા અનુપમ ખેર, કંગના રનૌત, યામી ગૌતમ, રૂબિના દિલાઈક અને પ્રીતિ ઝિન્ટાને પ્રશ્નો પૂછી રહ્યા છે. આ તમામ કલાકારો હિમાચલ પ્રદેશના રહેવાસી છે. આવી સ્થિતિમાં લોકો તેમને પૂછી રહ્યા છે કે આટલી મોટી દુર્ઘટનામાં તેમને રાજ્ય યાદ નથી આવ્યું, જ્યારે હિમાચલ સરકારે તેમને સંપૂર્ણ સન્માન આપ્યું છે. યામી ગૌતમને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ એક્ટર્સને નિશાન બનાવી રહ્યા છે.

અનુપમ ખેર, કંગના રનૌત, યામી ગૌતમ અને પ્રીતિ ઝિન્ટા હિમાચલ પ્રદેશથી છે
પાલમપુરના રહેવાસીએ તમામ કલાકારોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું, આ બધા હિમાચલ પ્રદેશના છે. પરંતુ અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના સામે સૌએ આંખો બંધ કરી દીધી છે. દેવભૂમિમાં રહેતા કલાકારોએ સીએમ રિલીફ ફંડમાં એક પૈસો પણ ડોનેટ કર્યો નથી. અન્ય એક યુઝરે લખ્યું, "બોલીવુડ એક્ટર આમિર ખાને હિમાચલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આપનો હૃદયપૂર્વક આભાર. હિમાચલના બોલિવૂડ કલાકારોને હજુ સુધી એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. કદાચ હવે આપણે શરમથી ખિસ્સા ખોલવાનું શરૂ કરીશું."

Topic | VTV Gujarati

મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપવા માટે આ લોકો કેમ આગળ નહીં આવતા?
વધુ એક યુઝરે લખ્યું, આમિર ખાન હિમાચલ પ્રદેશનો નથી. તેમ છતાં એક ભારતીય હોવાને કારણે, તેણે હિમાચલમાં મદદનો હાથ લંબાવ્યો અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું. સવાલ એ થાય છે કે અનુપમ ખેર, કંગના રનૌત, પ્રીતિ ઝિંટા, યામિની વગેરે જેવા કલાકારોના હાથ કોણે બાંધ્યા છે જેઓ હેડલાઇન્સમાં રહે છે અને હિમાચલના પુત્ર-પુત્રી હોવાનો દાવો કરે છે? પોતાનું રાજકીય મેદાન શોધવા માટે, આમાંના ઘણા લોકો પોતાની જમીન સાથે જોડાયેલા હોવાનો ઢોંગ કરવા ચૂંટણી પહેલા આવે છે.' અન્ય એક યુઝરે લખ્યું, અભિનેતા આમિર ખાને હિમાચલ પ્રદેશ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા આપ્યા. એવા સ્ટાર્સનો કોઈ પત્તો નથી કે જેમને હિમાચલના નામથી બોલાવવામાં આવે છે.'

હિમાચલને ઘણું નુકસાન થયું
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં વરસાદના કારણે 2500થી વધુ ઘર પડી ગયા છે. જ્યારે 11 હજાર મકાનોને નુકસાન થયું છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન 460 લોકોના મોત થયા છે. મનાલી, શિમલા અને મંડીમાં સૌથી વધુ નુકસાન થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ