બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / A Shobhayatra has been organized from Camp Hanuman Temple in Ahmedabad today
ADVERTISEMENT
બે વર્ષ બાદ હનુમાન જયંતિની અમદાવાદમાં ઉજવણી
કોરોના કાળના બે વર્ષબાદ અમદાવાદમાં હનુમાન જયંતિની ઉજવણી ધામધુમ પુર્વક કરાઈ રહી છે. મહત્વનું છે કે, ઉજવણીના ભાગ રૂપે એક દિવસ પહેલાજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રા યોજાઈ છે. આ શોભાયાત્રા રામભક્ત હનુમાનજીના મંદિર શાહીબાગ કેન્ટોનમેન્ટથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારમાં જશે અને સાંજે સાત વાગ્યે શોભાયાત્રા નિજ મંદિર પહોંચશે. શોભાયાત્રા દરમ્યાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હજારોની સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા
ADVERTISEMENT
આ શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રામાં 14 સુશોભિત ટ્રકો સાથે 200થી વધુ વાહનો યાત્રામા જોડાઈને ધાર્મિક અને સામાજિક સંદેશ આપવામાં આવ્યાં છે. આ સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
હનુમાનજી મહારાજના મુખ્ય રથનું તોપ દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત
ADVERTISEMENT
શોભાયાત્રામાં હનુમાનજીનો રથ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. હનુમાનજીના રથની પાછળ ફૂલોની વર્ષા કરતી તોપ ગોઠવવામાં આવી છે. યાત્રામાં 150થી 200 ટુ વહીલર અને 50 ગાડીઓ જોડાઈ છે. આ સાથે શોભાયાત્રામાં કરતબો સહિત વિવિધ અખાડા જોડાયા છે.
ADVERTISEMENT
VTV પર કરો કષ્ટભંજન દેવની ભવ્ય શોભાયાત્રાના દર્શન
બીજી તરફ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમીત્તે તા.15 અને તા.16 એપ્રિલ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં અંદાજે લાખો દર્શનાર્થીઓ ઉમટી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.