બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / ગુજરાતભરમાં શિવમય માહોલ, શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો
5 ફોટો ગેલેરી
Last Updated: 11:55 AM, 5 August 2024
1/5
ભગવાન શિવનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ સોમનાથનાં દરિયાકાંઠે આવેલ છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર હોઈ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજુ ઉઠ્યું હતું.
2/5
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. મહીસાગર જીલ્લાનાં શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર લુણાવાડાનું પૌરાણિક લુણેશ્વર તેમજ અખાડા સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પણ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવનાં દર્શનાર્થે ઉમટ્યા હતા. પવિત્ર શ્રાવમ માસની શરૂઆત પ્રથમ સોમવારથી થતા શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે પવિત્ર શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે.
3/5
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પવિત્ર શ્રાવણનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારને લઇને શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તેવામાં ભવનાથ તળેટીમાં આવેલ મહાદેવના મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી છે. સવારે 4 વાગ્યાથી ભક્તો મંદિરે કતાર લગાવીને મહાદેવના દર્શન માટે પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતુ.
4/5
72 વર્ષ બાદ શ્રાવણ માસમાં 5 સોમવારનો સંયોગ. આજથી ભોળેનાથને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. છોટા કાશી"ના નામથી પ્રચલિત અને શિવજીની નગરી એવા જામનગરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. જામનગર શહેરના પ્રત્યેક ખૂણે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. છોટી કાશીનું બિરુદ્ધ જેના થકી જામનગરને પ્રાપ્ત થયું છે. એવા કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી લાગી કતારો લાગી હતી. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ચો તરફથી શિવજીના દર્શન થાય છે. દૂધ, પંચામૃત, જળ, શેરડીનો રસ, નાળીયેલનું પાણી જેવી અલગ-અલગ વસ્તુઓ દ્વારા મહાદેવજી ઉપર અભિષેક કરવામાં આવે છે.
5/5
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. મહાદેવજી પર દૂધનો અભિષેક કરી ફળ-ફૂલ-પ્રસાદી અર્પણ કરી ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે.. ત્યારે અમદાવાદના પ્રખ્યાત પરમેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.. અહિં આ મંદિરમાં પારદનું શિવલિંગ આવેલું છે. કહેવાય છે પારતનું શિવલિંગની પૂજા એ સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. ત્યારે ભોળાનાથને મનાવવા મહાદેવ ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં લાઇન લગાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ