બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / 750 Children Born At The Time Of Storm, Parents Are Now Naming The Children Yaas
Bhushita
Last Updated: 10:00 AM, 28 May 2021
ઓરિસ્સામાં તાજેતરમાં યાસ વાવાઝોડાએ ભારે કહેર મચાવ્યો હતો. તે તો તમે સૌ જાણતા જ હશો. પણ કેટલાક એવા લોકો છે જેને યાસને હંમેશા માટે યાદગાર પ્રસંગ બનાવી દીધો છે. થયું એમ કે ઓડિશામાં વાવાઝોડા સમયે 750 બાળકોનો જન્મ થયો. જેમાંથી મોટાભાગના માતા-પિતાએ પોતાના બાળકોનું નામ યાસ રાખ્યું છે. આ માતા-પિતા બાળકોને યાસ નામ આપીને યાસ વાવાઝોડાને હંમેશા માટે યાદ રાખવા માગે છે.. તમને જણાવી દઈએ કે યાસ વાવાઝોડાનું નામ ઓમાને આપ્યું હતું. જે એક ફારસી શબ્દ છે. યાસનો અર્થ ચમેલી થાય છે.
શું કહે છે અધિકારીઓ
અધિકારીઓનું કહેવું છે કે પ્રદેશના અનેક ભાગમાંથી જાણકારી મળી રહી છે કે લોકો પોતાના નવજાતનું નામ ચક્રાવાતી તોફાન યાસ પરથી યાસ રાખી રહ્યા છે. વાવાઝોડાનું આ નામ ઓમાનથી આવ્યું છે અને તેનો અર્થ ચમેલી થાય છે.
વાવાઝોડાના કારણે 6500 ગર્ભવતી મહિલાને રાહત શિબિરમાં લવાઈ હતી
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ઓરિસ્સાના તટીય વિસ્તારોમાંથી 6500 ગર્ભવતી મહિલાઓને રાહત શિબિરમાં લાવવામાં આવી હતી. તેમાંથી જે પ્રેગનન્સીના છેલ્લા સ્ટેજમાં હતી તેને સ્થાનિક હોસ્પિટલ અને મા ગૃહમાં શિફ્ટ કરાઈ હતી. આ સિવાય કેટલીક મહિલાઓએ શેલ્ટર હોમમાં બાળકોને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાલાસોરમાં આ વાવાઝોડામાં 165 બાળકોએ જન્મ લીધો જેમમાં 79 દીકરાઓ અને 86 દીકરીઓ છે. આ પછી ભદ્રકમાં પણ 60 બાળકોએ જન્મ લીધો હતો. યાસ વાવાઝોડા સમયે ઓરિસ્સામાં કુલ 750 બાળકોએ જન્મ લીધો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT