બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 AM, 3 April 2024
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મકાનમાં ભયંકર આગમાં એક જ પરિવારના સાત લોકોના જીવ ગયા છે. મોતને ભેટ્યા તેમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યારે ઘટનાને પગલે સ્થળ પર મોટીસંખ્યામાં ટોળા ઉમટ્યા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા 7 લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો. હાલ તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગર પોલીસએ જણાવ્યુ હતુ કે જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઇમાં ઉનાળાના પ્રારંભે આગની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં જ નવી મુંબઈમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા કેટલાય મીટર દૂરથી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કેમિકલ ફેક્ટરી નવી મુંબઈના MIDC વિસ્તારમાં આવેલી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.