બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:42 AM, 22 July 2020
ADVERTISEMENT
કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે ભૂમિ પૂજનના મુહુર્ત સાથે પુરી કુંડળી બનાવી છે. ભાદ્ર પક્ષ અને અસ્થિર તુલા લગ્ન દોષને નષ્ટ કરવા માટે આ થોડીક સેકન્ડમાં મુહુર્ત ખાસ મહત્વ ધરાવે છે.

ADVERTISEMENT
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સ્વય ભૂમિપૂજન અનુષ્ઠાનની તૈયારીઓ જોઈ રહ્યા છે . તેમણે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કેટ્રસ્ટના અધ્યક્ષ અને તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું કે કાશીના પ્રખ્યાત વડિલ જ્યોતિષાચાર્ય તથા શ્રી વલ્લભ રામ શાલિગ્રામ સાંગ વેદ વિદ્યાલયના વ્યવસ્થાપક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે શ્રીરામ જન્મભૂમિના ગર્ભગૃહમાં 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનની કુંડળી તૈયાર કરી છે.
.
ADVERTISEMENT
.jpg)
5 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગીને 15 મિનિટ 15 સેકન્ડ પછીના 32 સેકન્ડની અંદર પીએમ મોદીએ ગર્ભગૃહમાં પહેલી ઈંટ મુકવી પડશે. 40 કિલોગ્રામ ચાંદીની આ ઈંટને ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ પોતાના હાથે પીએમ મોદીને સોંપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.