બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં છેલ્લા 2 જ વર્ષમાં 314 સિંહોના મોત, ખુદ સરકારે વિધાનસભામાં કર્યો સ્વીકાર
Last Updated: 05:15 PM, 27 February 2026
શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં રાજ્યમાં કુલ 314 સિંહોના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા 31-01-2026ની સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 911 સિંહોની સંખ્યા નોંધાઈ છે. તેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

સરકારના આંકડા મુજબ છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં મૃત્યુ પામેલા 314 સિંહોમાંથી 75 સિંહ, 91 સિંહણ અને 148 સિંહબાળનો સમાવેશ થાય છે. વન વિભાગે આપેલા વર્ણન મુજબ 314 મૃત્યુમાંથી 251 મૃત્યુ કુદરતી કારણોસર થયા છે. તેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળના મૃત્યુ કુદરતી રીતે થયા હોવાનું જણાવાયું છે. જ્યારે 63 સિંહોના મૃત્યુ અકુદરતી કારણોસર થયા છે. અકુદરતી મૃત્યુ પામેલામાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અંબાલાલ પટેલ માટે MLA કિરીટ પટેલએ વિધાનસભામાં કરી સરકારી પદની માંગ, જુઓ શું કહ્યું
વન વિભાગે જણાવ્યું કે સિંહોના સંરક્ષણ અને આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મૃત્યુના કારણોની વિગતવાર તપાસ પણ કરવામાં આવે છે. રાજ્યમાં સિંહોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા, વસવાટ વિસ્તાર અને માનવ-વન્યજીવ સંઘર્ષ જેવા મુદ્દાઓ પર સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ સરકારે જણાવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.