બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Priyakant
Last Updated: 04:06 PM, 29 June 2023
ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા હોય છે. વિદેશ જવા માટે કેટલાક લોકો લાખો રૂપિયા પણ ખર્ચી નાખતા હોય છે. તો કેટલાક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એજન્ટે છેતરપિંડી આચરી છે. કેનેડાની ટિકિટ બુક કરાવી આપવાનું કહીને બેન્કના મેનેજર પાસેથી રૂ.10 લાખ ઊઘરાવી એજન્ટે ઠગાઈ કરી છે. આ મામલે નારણપુરાના ગ્રિસિયલ હોલિડેના માલિક નીરલ ઉર્ફે જિમી તરુણભાઈ પારેખ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ અગાઉ પણ અનેક લોકો સાથે રૂપિયા લઈ લીધા બાદ છેતરપિંડી કરી છે.
અમદાવાદના નારણપુરામાં રહેતા અને એચડીએફસી બેન્કમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા અશોક પટેલે ગ્રેસિયસ હોલિડે નામની ટ્રાવેલ કંપનીના માલિક નીરલ પરીખ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. અશોકને પત્ની સાથે ફેબ્રુઆરી-2023માં કેનેડા જવાનું હતું. અશોકે આંબાવાડી સહજાનંદ કોલેજ પાછળ આવેલા શિવાની એપાર્ટમેન્ટમાં રહેતા અને ગ્રિસિયલ હોલિડે ટૂરના માલિક નીરલ પાસે ટિકિટ બુક કરાવી હતી. તે વખતે નીરલે વાજબી ભાવે એર ટિકિટ બુક કરાવી આપી હતી, ત્યાર બાદ મૂકેશકુમારના પરિવારના સભ્યોને કેનેડા જવાનું હોવાથી તેમણે 1 વ્યકિતના રૂ.1.25 લાખમાં નક્કી કરીને કેનેડાની ટિકિટ કરવા માટે કહ્યું હતું.
અશોકે નીરલ પાસે બે ટિકિટ નક્કી કરી હતી. જેના પૈસા અશોકે નીરલને ચૂકવી દીધા હતા. અશોકે 2 ટિકિટ બુક કરાવવા માટે નીરલને એડ્વાન્સ પૈસા ચૂકવી આપ્યા હતા. નીરલ અશોકને કન્ફર્મ ટિકિટ આપવાનું કહીને તેમની પાસેથી પૈસા મેળવી લીધા બાદ પોતાના ઘરને તાળું મારીને ફરાર થઇ ગયો હતો. આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે અન્ય લોકો સાથે પણ તેણે છેતરપિંડી કરી છે. અશોકે ઘાટલોડિયા પોલીસે સ્ટેશનમાં નીરલ સામે રૂ.10 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ સસ્તામાં કેનેડાની રિટર્ન ટિકિટ બુક કરાવી આપવાનું કહીને 16 કરતાં પણ વધારે લોકો પાસેથી રૂ.16.02 લાખ ઉઘરાવી નીરલ ફરાર થઈ ગયો હતો. આ મામલે આંબાવાડીના ગ્રિસિયલ હોલિડેના માલિક નીરલ ઉર્ફે જિમી તરુણભાઈ પારેખ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નીરલ પાસે ટિકિટ બુક કરાવનારા અનેક લોકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો