બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / will team india get ravichandran ashwin replacement in rajkot test know the rule

સ્પોર્ટ્સ / IND vs ENG: ટીમ ઇન્ડિયાને મળશે અશ્વિનનો રિપ્લેસમેન્ટ ખેલાડી? જાણો શું કહે છે ICCનો નિયમ

Published By: Vikram Mehta

Last Updated: 10:28 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. અશ્વિને 500 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરી લીધી છે. BCCIએ જણાવ્યું છે કે, અશ્વિન ટેસ્ટ મેચ નહીં રમી શકે.

  • રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર
  • અશ્વિને 500 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કર્યો
  • ટીમ ઇન્ડિયાને મળશે અશ્વિનનો રિપ્લેસમેન્ટ ખેલાડી?

ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. અશ્વિનનના ઘરમાં ફેમિલી મેડિલી ઈમરજન્સી આવવાને કારણે ત્રીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. હાલમાં રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અશ્વિને 500 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરી લીધી છે. BCCIએ જણાવ્યું છે કે, અશ્વિન ટેસ્ટ મેચ નહીં રમી શકે. 

અશ્વિનની જગ્યાએ કોણ રમશે?
રવિચંદ્રન અશ્વિન મેચમાંથી બહાર થઈ જવાને કારણે ભારતીય ટીમની પ્લેઈનિંગ ઈલેવનમાં માત્ર 10 ખેલાડી બાકી રહ્યા છે. અશ્વિન કન્કશનના કારણે ટીમમાંથી બહાર થયા નથી, જેથી અશ્વિનનું રિપ્લેસમેન્ટ નહીં આપી શકે. જેથી ભારતીય ટીમે 10 ખેલાડીઓ સાથે મેદાન પર ઉતરવું પડશે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ તે માટે રાજી થાય તો ભારતીય ટીમ અશ્વિન જેવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરી શકે છે. જેથી ભારતીય ટીમ વોશિંગ્ટન સુંદર અથવા અક્ષર પટેલને રમવાનો મોકો આપી શકે છે. 

ક્રિકેટ નિયમ
MCCS નિયમ 1.2.1 અનુસાર તમામ કેપ્ટન ટોસ પહેલા તેમના ખેલાડીઓને એમ્પાયરમાંથી એકને લેખિતરૂપે નામાંકિત કરશે. 1.2.2 નામાંકન પછી વિરોધી ટીમના કેપ્ટનની સહમતિ વગર કોઈપણ ખેલાડીને  બદલી ના શકાય. જેથી બેન સ્ટોક્સ અથવા ઈંગ્લેન્ડની ટીમ ઈચ્છે તો અશ્વિનની જગ્યાએ અન્ય પ્લેયરને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરી શકશે. આ પ્રકારે ના થાય તો ભારતે 10 ખેલાડી સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સામે રમવું પડશે. ભારતીય ટીમ ફીલ્ડિંગ માટે સબસ્ટીટ્યૂટ ખેલાડીને મેદાન પર ઉતારી શકે છે. 

વધુ વાંચો: 'હું જ્યારે પણ મેદાનમાં ઉતરું ત્યારે તેને હાર્ટ એટેક...', આખરે કોને લઇને આર અશ્વિને આપ્યું ચોંકાવનારું નિવેદન

IND vs ENG
ઈંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઈનિંગમાં બે વિકેટ પર 207 રન કર્યા હતા. ભારતે પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ 238 રનથી પાછળ છે. ભારતીય ટીમના રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Ravichandran Ashwin Team India ashwin replacement ind vs eng rajkot test રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટ rajkot test

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ