બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'નારાજગી હોય તો કોંગ્રેસને મત કેમ?' જામનગરમાં ક્ષત્રિયોની નારાજગી પર PM મોદીનું આડકતરું સૂચન

લોકસભા ચૂંટણી 2024 / 'નારાજગી હોય તો કોંગ્રેસને મત કેમ?' જામનગરમાં ક્ષત્રિયોની નારાજગી પર PM મોદીનું આડકતરું સૂચન

Last Updated: 07:39 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: જામનગરમાં PM મોદીએ કહ્યું કે કોઇ કારણથી નારાજગી હોય શકે છે. પણ નારાજગીને લઇને કોંગ્રેસને મત આપવો તેનો કોઇ તર્ક નથી

જામનગરમાં PM મોદીએ ક્ષત્રિય સમાજની નારાજગીને લઇને કર્યુ આડકતરૂ નિવેદન. તેમણે કહ્યું કે કોઇ કારણથી નારાજગી હોય શકે છે. પણ નારાજગીને લઇને કોંગ્રેસને મત આપવો તેનો કોઇ તર્ક નથી. જે પક્ષ દેશમાં સરકાર બનાવવાનું સપનું જુએ છે તે 272 બેઠક પર ચૂંટણી પણ નથી લડી રહી. તો પછી સરકાર તેની કઇ રીતે બની શકે? ભાજપ સિવાય કોઇ પક્ષ 272 બેઠક પર ચૂંટણી નથી લડી રહ્યો તેવામાં કોંગ્રેસને મત આપીને મત શું કામે બગાડવો જોઇએ?

ભૂચર મોરીની વાતને લઈ PM મોદીએ જૂના સંસ્મરણો વાગોળ્યા

પ્રધાનમંત્રી મોદીએ ભૂચર મોરી અને જામનગરના જૂના સંસ્મરણોને વાગોળી કહ્યું હતું કે, જામનગર સાથે મારો જૂનો સંબંધ રહ્યો છે. ઉમેર્યું હતું કે, ભૂચર મોરીની વાતને લઈ ક્ષત્રિય સમાજના આગેવાનો મને આમંત્રણ આપવા માટે આવ્યા હતા અને કોઈએ કાનમાં કહ્યું કે, તમે આવશો તો નહી પરંતુ આમંત્રણ આપવો અમારો કર્તવ્ય છે, પછી તેમને પૂછ્યું કે, કેમ ન આવીએ, તો ક્ષત્રિય સમાજના આગેવાનેએ કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી ન આવે. તો કહ્યું કે, એવી માન્યતા છે કે, એટલા બધા વીરો શહિદ થયા છે ત્યાં જાઓ તો મુખ્યમંત્રીનો પદ જતો રહે. જે માટે કોઈ મુખ્યમંત્રી આવતા ન હતાં. ત્યારે મેં કહ્યું હતું કે, મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી, હું આવીશ અને ગયો પણ ખરો

'મનમાં સંકલ્પ છે તે ત્રીજા ટર્મમાં પૂરા કરવા છે'

મોદીએ વિકાસની વાત કરતા કહ્યું કે, આ દેશની ઈકોનોમી 11 નંબર હતી તે હવે 5 નંબર છે. તેમણે વધુમાં કહ્યું કે, તમારા બધાના આશીર્વાદ મને પદ અને પ્રતિષ્ઠા માટે નહીં જોઈતા, 2014માં ઈતિહાસમાં નામ લખાઈ ચુક્યો છે. આશીર્વાદ એટલા માટે જોઈએ છે જે મનમાં સંકલ્પ છે તે ત્રીજા ટર્મમાં પૂરા કરવા છે. મારો સંકલ્પ છે કે, હિદુસ્તાનને પહેલી ત્રણ અર્થવ્યવસ્થામાં લાવવું. તમે વિચાર કરી શકો છો કે, જ્યારે ટોપ ત્રણ ભારત હશે ત્યારે વિશ્વમાં ભારતની છબી કેવી હશે.

વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી

PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ મેં થોડા દિવસ અગાઉ દ્વારકાના દરિયામાં પૂજા અર્ચના અને દર્શન કર્યા તેનાથી પણ કોંગ્રેસને અડચણ છે. આ લોકો રામ મંદિરનો બહિષ્કાર કરે છે. દ્વારાકાને ખોટું બતાવે છે. તેમજ શિવ અને રામના ઝગડાની વાતો કરે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસથી સાવધાન થઈ જવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ