બ્રેકિંગ ન્યુઝ
મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ
રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર
વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ
દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન
રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
VTV / સ્પોર્ટસ / Cricket / રાહુલને કેમ બહાર કરાયો? પોતાની કેપ્ટનન્સી સહિત અનેક મુદ્દે રોહિત શર્માએ તોડ્યું મૌન
Last Updated: 07:03 PM, 2 May 2024
ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાના એલાન પછી આજે કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે મુંબઈ બીસીસીઆઈ મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જવાબ આપ્યાં હતા. કેએલ રાહુલને બાકાત રાખવા પર રોહિતે એવું કહ્યું કે અમને લોઅર મિડલ ઓર્ડરમાં સારા બેટ્સમેનની જરૂર હતી પરંતુ રાહુલ ઓપનર છે. ટોપ ઓર્ડરમાં સ્થાન ન હોવાના કારણે કેએલ રાહુલને બહાર કરવો પડ્યો હતો. હવે પાંચમા નંબર પર સંજુ અને પંતના રૂપમાં બે વિકલ્પ છે.
ADVERTISEMENT
શિવમ દુબેને કેમ લેવાયો
શિવમ દુબેને ટી 20 ટીમમાં સ્થાન આપવા મામલે રોહિતે કહ્યું કે આઈપીએલના બેસ્ટ પ્રદર્શનને કારણે શિવમ દુબેને ટી 20 ટીમમાં સ્થાન મળ્યું. જોકે પ્લેઈંગ ઈલેવનમાં તેના સામેલ થવા અંગે કંઈ કહી ન શકાય. જરુર પડે તો બોલિંગ પણ કરી શકે છે.
ADVERTISEMENT
રોહિતને કેમ કેપ્ટન બનાવાયો
અજીત અગરકરે કહ્યું કે વન-ડે વર્લ્ડકપમાં રોહિતના શાનદાર ફોર્મને જોતા તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને આપણે પણ ઓળખીએ છીએ, પરંતુ રોહિત એક મહાન ખેલાડી છે. આ સાથે જ પ્લેઇંગ ઇલેવન અંગે પૂછાયેલા સવાલ પર કેપ્ટન રોહિતે કહ્યું કે, વર્લ્ડકપમાં ટીમ કોમ્બિનેશન અને પ્લેઇંગ ઇલેવન શું હશે તેનો નિર્ણય પિચ અને પરિસ્થિતિઓને જોઇને લેવામાં આવશે. રોહિતે કહ્યું મેં ન્યૂયોર્કની પીચ જોઈ નથી. ત્યાં ગયા બાદ નિર્ણય લેવામાં આવશે.
વધુ વાંચો : રોહિત શર્મા મોટા દિલવાળો નીકળ્યો, IPL કેપ્ટનન્સી ગયા બાદ પહેલી વાર બોલ્યો, ચાહકોને ગમશે
આઈપીએલ કેપ્ટનન્સી પર શું બોલ્યો રોહિત
રોહિતે કહ્યું, 'હું કેપ્ટન હતો પછી કેપ્ટન નહોતો અને હવે છું. આ જીવનનો એક ભાગ છે, બધું આપણું મરજી પ્રમાણે ન થાય. તે એક મહાન અનુભવ રહ્યો છે. મારા જીવનમાં પણ હું કેપ્ટન ન હતો અને જુદા જુદા કેપ્ટન હેઠળ રમ્યો હતો. તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. મેં હંમેશા ખેલાડી બનવા માટે જે જરૂરી હોય તે કરવાનો પ્રયાસ કર્યો છે અને મેં છેલ્લા એક મહિનામાં તે કરવાનો પ્રયાસ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT