બ્રેકિંગ ન્યુઝ
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો
અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે
મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો
ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ
રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
VTV / સ્પોર્ટસ / Cricket / When will Rohit Sharma and Virat Kohli retire from T20 cricket? Yuvraj Singh clarified
Ajit Jadeja
Last Updated: 07:30 PM, 26 April 2024
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહે કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ માટે ઘણું કર્યું છે અને તેઓ તેમની ઈચ્છા મુજબ નિવૃત્તિ લેવાના હકદાર છે. યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. યુવીએ કહ્યું કે ટી20 વર્લ્ડ કપ પછી બંને ખેલાડીઓનું સંન્યાસ લેવું યોગ્ય રહેશે.
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાની મરજીથી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાના હકદાર છે. યુવરાજે ચાહકોને યાદ અપાવ્યું કે વિરાટ અને રોહિત ભારતીય ક્રિકેટના સાચા સેવક છે અને તેમને પોતાના માટે નિર્ણય લેવાનો અધિકાર છે. જો T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવે છે, તો તેમાં પ્રથમ બે નામ રોહિત શર્મા અને વિરાટ કોહલી હોવાનું માનવામાં આવે છે. 2022 T20 વર્લ્ડ કપમાં ભારતની હાર પછી રોહિત-વિરાટે ઘણી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટ મેચ રમી નથી. જો કે આ બંનેએ અફઘાનિસ્તાન સામેની શ્રેણી પહેલા પુનરાગમન કર્યું હતું.
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ICC સાથે વાત કરતા યુવરાજસિંહે કહ્યું હતું કે રોહિત-વિરાટને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે, પરંતુ તે ફક્ત તેમના પર છોડવો જોઈએ. યુવરાજ સિંહ ઇચ્છે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલ કરિયરમાંથી નિવૃત્ત થાય.
ભારતીય ટીમ T20 ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. તાજેતરમાં ભારતીય ટીમ કેરેબિયન ધરતી પર તમામ ફોર્મેટની શ્રેણી રમી હતી અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ત્યાંની પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકશે. રોહિત અને વિરાટનો અનુભવ વેસ્ટ ઈન્ડિઝની ધીમી અને નીચી પીચ પર ઉપયોગી થવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ તેની ગ્રુપ સ્ટેજની મેચો અમેરિકામાં વિવિધ સ્થળોએ રમશે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર 8 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
ભારતનું T20 વર્લ્ડકપ શેડ્યૂલ
ભારત વિ આયર્લેન્ડ - 5 જૂન, ન્યુ યોર્ક
ભારત વિ પાકિસ્તાન - 9 જૂન, ન્યૂયોર્ક
ભારત વિ યુએસએ - 12 જૂન, ન્યુ યોર્ક
ભારત વિ કેનેડા - 15 જૂન, ફ્લોરિડા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ