બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / ભારત / જમ્મુમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા: કુલગામમાં ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓને ઢાળી દીધા
Last Updated: 02:22 PM, 7 May 2024
Jammu Kashmir : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની વચ્ચે જમ્મુથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણ એમ છે કે, દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર બાસિત અહેમદ ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ થઈ નથી. આતંકવાદીઓના મૃતદેહ મળી આવશે અને તેની ઓળખ કરવામાં આવશે. સવારે જ સમાચાર આવ્યા હતા કે, દારના કુલગામમાં આ એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર બાસિત અહેમદ ઘેરાયેલો છે.
ADVERTISEMENT
Bodies of 02 #terrorists killed in the anti-terrorist operation recovered so far. Identity & affiliation being ascertained. #Operation in progress. Further details shall follow.@JmuKmrPolice https://t.co/qgOUVcI3gk
— Kashmir Zone Police (@KashmirPolice) May 7, 2024
સુરક્ષા દળોને લશ્કરના ઠેકાણાની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી જેના પછી સંયુક્ત દળો સોમવારે વિસ્તારમાં પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો જેનો સુરક્ષાદળોએ પણ જવાબ આપ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે પોતાના એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટમાં લખ્યું છે કે, કુલગામ જિલ્લાના રેડવાની પાઈન વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો કામ પર છે.
ADVERTISEMENT
4 મેના રોજ થયો હતો આતંકવાદી હુમલો
નોંધનિય છે કે 4 મેના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો હતો. સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ હુમલામાં IAFના 1 જવાન શહીદ થયા હતા જ્યારે 4 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલો શનિવારે સાંજે થયો જ્યારે એરફોર્સનો કાફલો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યો હતો. આ હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવા અને મારવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
વધુ વાંચો : LIVE: ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, 93 બેઠકો પર 1 વાગ્યા સુધીમાં 39.92 ટકા વોટિંગ
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા દળો પર આ વર્ષે આ બીજો હુમલો છે. આ પહેલા પણ જાન્યુઆરી મહિનામાં શંકાસ્પદ આતંકવાદીઓએ સેનાના કાફલા પર ભારે ગોળીબાર કર્યો હતો. સુરક્ષા અધિકારીઓને ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલામાં આતંકવાદીઓના એ જ જૂથની સંડોવણી હોવાની શંકા છે, જેમણે ગયા વર્ષે 21 ડિસેમ્બરે બફલિયાઝ વિસ્તારમાં સૈન્યના વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં ચાર સૈનિકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT