બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / video of BJP candidate Shankar Chaudhary has surfaced on Banaskanthas Tharad seat.
Kishor
Last Updated: 09:33 PM, 26 November 2022
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને બનાસકાંઠાની થરાદ બેઠક વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ બેઠક પર બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી ભાજપની ટિકિટે ચુંટણી લડી રહ્યા છે. જે શંકર ચૌધરીનો આજે સભા દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં શંકર ચૌધરી વિવાદિત નિવેદન આપતા નજરે પડે છે. જેને લઇને જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
શું બોલ્યા શંકર ચૌધરી ?
જાહેર સભાને સંબોધતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે સાવ નમાલો માણસ નથી. ભાઈબંધી રાખવા જેવો માણસ છું. ભાઈબંધી રાખશો તો અડધી રાતનો હોંકારો થઇશ તેવી પણ ખાતરી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે તમે મહેસાણા કે ક્યાંય પણ જાશો તમારી ગાડી કોઇ પોલીસવાળાઑ રોકે એને પૂછે કે ક્યાંથી આવો તમે થરાદ શંકરભાઇને ત્યાંથી આવું છું. તેમ કહેશો એટલે તે સેલ્યુટ મારીને જવા દેશે. તેવું ગૌરવ મારે તમામ નાગરિકોને અપાવવું છે અને ખાલી મારો ફોટો સ્ટેટસમાં હોય તો પણ કોઈ પોલીસવાળા તમને રોકશે નહી.વાવમાં હું નથી તો પણ નામથી કામ થઇ જાય છે. તેમ હું ના હોય તો પણ કામ થઇ જવા જોઇએ.
મહત્વનું છે કે તાજેતરમાં જ શંકર ચૌધરીએ જાહેરસભામાં જણાવ્યું હતું કે મારા કાર્યકર્તાઓને કોઇ રંજાડશે તો એ મારી સાથે દુશ્મનાવટ કરી છે એવું માનજો. તેવો વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે 22 નવેમ્બરના રોજ થરાદમાં જાહેરસભામાં ગૃહમંત્રી અમિત શાહએ શંકર ચૌધરીને લઈને મોટો સંકેત આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો,અમે તેમને મોટું સ્થાન આપીશું. આમ સરકારમાં શંકર ચૌધરીને મોટું સ્થાન આપવા અંગે અમીત શાહે નિવેદન આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો