બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ભારત / Politics / વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
Last Updated: 09:01 AM, 5 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે અયોધ્યા જશે. વાત જાણે એમ છે કે, આજે PM મોદી અયોધ્યામાં પહેલા ભગવાન રામલલાના દર્શન કરશે અને પછી રોડ શો કરશે. આ પહેલા PM મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમયે અયોધ્યામાં રોડ શો કર્યો હતો. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2024 વચ્ચે PM મોદી પહેલીવાર અયોધ્યા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી હાલ લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. દરરોજ તેઓ દેશના વિવિધ ભાગોમાં રોડ શો અને ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે. આ શ્રેણીમાં તેઓ રવિવારે એટલે કે 5 મેના રોજ અયોધ્યા પહોંચી રહ્યા છે. જોકે તેઓ ચૂંટણી પ્રચારના સંબંધમાં અયોધ્યા જઈ રહ્યા છે પરંતુ તેમના કાર્યક્રમ પહેલા તેઓ રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરશે.
ADVERTISEMENT
ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો
અયોધ્યા પહોંચ્યા બાદ PM મોદી મંદિરમાં પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ ફૈઝાબાદ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કરશે. PM મોદી રવિવારે બપોરે 3 વાગે ઇટાવા પહોંચશે. અહીં તેઓ જનસભાને સંબોધશે. સાંજે લગભગ 5 વાગ્યે PM મોદી ધૌરહરા લોકસભા મતવિસ્તાર માટે રવાના થશે જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધવાના છે.
7 વાગે ભગવાન રામલલાની પૂજા કરશે
આ પછી PM મોદી અયોધ્યા પહોંચશે અને સાંજે લગભગ 7 વાગે રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન અને પૂજા કરશે. વડાપ્રધાન અયોધ્યામાં લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે. અયોધ્યામાં પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. શનિવારે PMએ ઝારખંડમાં કહ્યું કે, અમારી કેટલી દીકરીઓ 500 વર્ષ સુધી સંઘર્ષ કરતી રહી, લાખો લોકો શહીદ થતા રહ્યાં, એક લાંબો સંઘર્ષ હતો. કદાચ દુનિયામાં આટલો લાંબો સંઘર્ષ ક્યાંય ન થયો હોત, જે થયું. અયોધ્યામાં. તમારા વોટની શક્તિથી આજે રામ મંદિરનું નિર્માણ થયું છે.
અયોધ્યાથી કોણ કોણ મેદાનમાં છે?
ફૈઝાબાદમાં પાંચમા તબક્કામાં મતદાન થશે. અહીં 20 મેના રોજ મતદાન થશે. પાંચમા તબક્કામાં મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, કૈસરગંજ અને ગોંડામાં પણ મતદાન થશે. બસપાએ અયોધ્યા (ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર)થી પોતાના ઉમેદવાર તરીકે બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. BSPમાં જોડાયા બાદ માયાવતીએ અયોધ્યાથી આંબેડકર નગરના ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સચ્ચિદાનંદ પાંડે 'સચિન'ને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે આ સીટ પર અવધેશ પ્રસાદ પર લલ્લુ સિંહ અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT