બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / USA Swaminarayan Temple khalistani supporters wrote anti India Slogans on the wall

જડબાતોડ જવાબ / USAમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલા મામલે ભારતનું કડક વલણ: વિદેશમંત્રી જયશંકરે બાયડન સરકારને જુઓ શું કહ્યું

Published By: Vaidehi

Last Updated: 06:31 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે મેં સમાચાર વાંચ્યા. જેવું કે તમે જાણો છો કે અમે આ વિષયે ચિંતિત છીએ. ભારતની બહાર ચરમપંથીઓ અને અલગાવવાદીને સ્થાન ન મળવું જોઈએ.

  • અમેરિકામાં હિંદૂ મંદિર પર હિંદૂ અને ભારત વિરોધી ભીંતચિત્રો
  • વિદેશમંત્રી જયશંકરે આ ઘટના અંગે આપ્યું નિવેદન
  • ભારતીય દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઊઠાવી માંગ

ભારતને અમેરિકાનાં કેલિફોર્નિયામાં સ્થિત એક પ્રમુખ હિંદૂ મંદિરમાં ખાલિસ્તાન સમર્થક નારેબાજી અને ભારત વિરોધી ચિત્રોની સાથે થતી તોડફોડ પર કડકાઈ દાખવતાં સંપૂર્ણ મામલામાં તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે હિંદૂ-અમેરિકન ફાઉંડેશન દ્વારા સોશિયલ મીડિયા પર ઘટના સંબંધિત ફોટોઝ શેર કરવામાં આવી. આ ફોટોમાં ન્યૂયોર્કનાં સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાની દીવાલો પર ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરોધી નફરતભર્યા નારાઓ લખેલા જોવા મળ્યાં.

વિદેશમંત્રી એસ.જયશંકરનું નિવેદન
આ મામલા અંગે પ્રતિક્રિયા આપતાં વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે આવા ચરમપંથીઓને જગ્યા જ ન આપવી જોઈએ. તેમણે જણાવ્યું કે સેન ફ્રાંસિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પહેલા જ આ મામલાને અમેરિકી અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો છે અને તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, "મેં સમાચાર જોયા..જેવું કે તમે જાણો છો કે અમે આ વિષયે ચિંતિત છે. ભારતની બહાર ચરમપંથીઓ અને અલગાવવાદી શક્તિઓને જગ્યા ન મળવી જોઈએ. જે કંઈપણ થયું તે બાબતે આપણાં વાણિજ્ય દૂતાવાસે અમેરિકી સરકાર અને ત્યાંની પોલીસની પાસે આ અંગે ફરિયાદ નોંધાવી છે."

તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
સેન ફ્રાંસિસ્કોમાં ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાને લઈને નિંદા કરી અને કહ્યું કે," તેનાથી ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે આ મામલામાં અમેરિકન અધિકારીઓ દ્વારા તોડફોડ કરનારાઓની સામે તાત્કાલિક તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે દબાણ કર્યું છે." મંદિર પ્રશાસન અનુસાર આ સંપૂર્ણ ઘટના ગુરુવાર રાતની છે. મંદિરનાં પ્રવક્તા ભાર્ગવ રાવલે કહ્યું કે મંદિરનાં નજીક રહેનારા ભક્તોમાંથી એકએ મંદિરની દીવાલ પર કાળી સહીમાં હિંદૂ અને ભારત વિરોધી ભીંતચિત્રો જોયાં અને સ્થાનીય પ્રશાસનને તાત્કાલિક આ અંગે જાણ કરી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Anti India Slogans USA Swaminarayan Mandir khalistani અમેરિકા ખાલિસ્તાની સ્વામીનારાયણ મંદિર USA Swaminarayan Temple Khalistani attcakers

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ