બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Pravin
Last Updated: 10:25 AM, 26 February 2022
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકરને ફોન કર્યો અને ભારતને યુક્રેન વિરુદ્ધના સૈન્ય અભિયાનો સમાપ્ત કરવા માટે મોસ્કોના સાથેના પોતાના પ્રભાવનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ભારતનો સાથ માગ્યો છે.
Received call from Ukrainian FM @DmytroKuleba.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 25, 2022
He shared his assessment of the current situation.I emphasized that India supports diplomacy & dialogue as the way out.
Discussed predicament of Indian nationals, including students. Appreciate his support for their safe return.
યુક્રેને ફરી વાર મદદ માગી
યુક્રેનના વિદેશ મંત્રીએ ભારતને યુક્રેનમાં શાંતિ સ્થાપવાના ડ્રાફ્ટ પ્રસ્તાવનું સમર્થન કરવા માટે એક અસ્થાયી UNSC સભ્ય તરીકે મદદનો આગ્રહ કર્યો છે. કુલેબાએ એક ટ્વીટમાં કહ્યું કે, મારા ભારતીય સમકક્ષ એસ. જયશંકરને ફોન કર્યો. ભારતે યુક્રેન વિરુદ્ધ સૈન્ય આક્રમણ રોકવા માટે રશિયા સાથે પોતાના સંબોધમાં તમામ પ્રભાવનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે આજે ડ્રાફ્ટ પ્રસ્તાવના સમર્થન માટે ભારતથી એક અસ્થાયી UNSC સભ્ય તરીકે આગ્રહ કર્યો છે.
કુલેબામાં હાલની સ્થિતિ પર થઈ ચર્ચા
જયશંકરે કહ્યું કે, તેમણે કુલેબાનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્યાંની હાલની સ્થિતી પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે, તેમણે આ વાત પર ભાર આપ્યું છે કે, ભારત કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. જયશંકરે ટ્વિટ કરતા જણાવ્યું કે, યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાનો ફોન આવ્યો હતો. તેમણે ત્યાંની હાલની સ્થિતિનું વર્ણન કર્યું હતું. મેં એ વાત પર ભાર આપ્યો છે કે, ભારત કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. તમામ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો સહીસલામત રહે તેના વિશે ચર્ચા થઈ છે. તેમના સુરક્ષિત વતન વાપસીના વખાણ કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT